________________
-
-
-
-
-
-
[ ૩૪ ].
શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર.
હતે. અને સમુદ્રમાં વહાણ ભાંગી ગયું, તેથી પ્રિયા સહિત અહીં આવ્યું. પાણી લેવામાં આકુળ થયેલી મારી પ્રિયા આ કૂવામાં પડી ત્યારે હું પણ પડ્યો, કે જેથી આ ભવમાં આની સાથે નેહ બંધાયેલ છે. અમે જળની અંદર પડ્યા નહીં, પરંતુ ભાગ્યને લીધે તેના કાંઠે પડ્યા. તેમાં તુષ્ટમાન થયેલી જળદેવીએ મને રને આપ્યાં, અને તે દેવીએ આ પ્રમાણે કહ્યું કે-“અહીં વહાણું આવશે. તેના ઉપર ચડીને હે ભદ્ર! તું પિતાને સ્થાને ખુશીથી જજે. હે સાર્થવાહ! મેં તમને આ મારી વાત કહી. તું પણ પિતાની (તારી) વાત કહે, કે જેથી મિત્રામાં વૃદ્ધિ પામે.” ત્યારે તે બે કે-“અહે! દેવદત્ત નામને હું પણ ભરતક્ષેત્રથી કટાહ દ્વીપે ગયે હતું, અને હવે ઘર તરફ ચાલે છું; તેથી હે ભદ્ર! તું પણ આવ કે જેથી આપણે સાથે જ જઈએ. મારા વહાણને વિષે વસ્તુને તથા પ્રિયાને આરોપણ કર (રાખ).” ધનદ પણ બે કે-“હે સાથે પતિ! એમ કર. જેથી ઘેર ગયેલા હું આ વસ્તુને છઠ્ઠો ભાગ તને આપીશ.” ત્યારે “અસાર ધનવડે શું છે? તું જ મારે ગૌરવ કરવા લાયક છે.” એમ બોલતા સાર્થવાહે પિતાના વહાણમાં તે વસ્તુ આપણુ કરી. પછી માર્ગમાં જ તે દુરાત્મા સાર્થવાહનું ચિત્ત તે સ્ત્રીને તથા ધનને જોઈને ચલાયમાન થયું. પછી રાત્રિને વિષે પુરીષના વ્યુત્સર્ગને નિમિત્તે માંચી ઉપર રહેલા તે ધનદને સાર્થવાહ મોટા સમુદ્રમાં નાંખે. ઘેડીવાર પછી તેણે કહ્યું કે-“શરીરચિંતનને માટે ગયેલ ધનદ જેથી કરીને હજુ સુધી આવ્યું નથી, તેથી કરીને તે જરૂર સમુદ્રમાં પડ્યો હશે.” પછી કપટથી આ સાર્થવાહ પિતાના માણસો સાથે ચિરકાળ સુધી શોધ કરવા લાગ્યો. પછી તેની પ્રિયાને પ્રિય વચનવડે આશ્વાસન આપવા લાગ્યા. પછી કોઈક દિવસે તેણે તે તિલકસુંદરીને કહ્યું કે-“હે ભદ્રા! તારો પતિ મરી ગયેલ છે, તેથી તે પાપ રહિત! તું મારી પત્ની થા.” તે સાંભળીને બુદ્ધિશાળી તેણુએ એમ વિચાર્યું કે-“મારા અંગમાં લુબ્ધ થયેલા આણે જરૂર મારા પતિને મારી નાંખે છે. આ બળાત્કારથી પણ મારા શીલનો બંશ(નાશ) કરશે, તેથી અહીં કાંઈક ઉત્તર આપીને કાળક્ષેપ કરવો યોગ્ય છે.” આ પ્રમાણે વિચારીને તે બોલી કે-“નગરને તું પ્રાપ્ત થઈશ ત્યારે રાજાની અનુજ્ઞા લઈને હું તારી ભાર્યા થઈશ.” તેણે પણ હર્ષ પામીને વચન અંગીકાર કર્યું, અને એ વિચાર કર્યો કે-“હું ધન આપવાવડે રાજાને પ્રસન્ન કરીને ઇચ્છિત કાર્ય કરીશ.”
આ તરફ તેણે જળમાં નાંખેલ તે ધનદ પૂર્વે ભાંગેલા વહાણના એક કકડાને (પાટિયાને) વિધિના વશથી પામે. તેને છાતીવડે ગાઢ આલિંગન કરીને તરવડે
ભ પામતે (ઉછળત) તે પાંચ દિવસે પિતાના નગરની પાસેના કાંઠે પ્રાપ્ત થયે. અંત:કરણમાં હર્ષ પામીને ઊંચું મુખ કરીને દષ્ટિવડે પિતાના નગરને જોતા તેને પાટિયા
૧, ઠલ્લાનાં ત્યાગને કારણે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org