________________
બીજો પ્રસ્તાવ : દેવદત્તનું ધનદને કૂવામાંથી બહાર કાઢવું અને સમુદ્રમાં નાંખવું. [૩૩].
શુભ ગ્રહોએ જોયેલું લગ્ન છે. તે દિવસે હું તને પરણીશ, અને તને મારી બેહિની (ભાર્યા) કરીશ. તેથી આજે સાતમો દિવસ છે, તેને આવવાના આ સમય છે. એટલામાં તે અહીં ન આવે, તેટલામાં સુંદર આકૃતિવાળા! તું જતો રહે.” ત્યારે ધનદ બે કે-“કે મુગ્ધા! તું ભય ન પામ. હમણાં સાંભળ. પોતાના પાપવડે જ હણાયેલો આ (તે) મારા હાથથી જ મરશે.” ત્યારે તે બોલી કે “તે તેના મૃત્યુનો સમય હું તને કહું. વિદ્યાની પૂજાના સમયે તારે તેને મારવો, કેમકે તે સમયે તે ઊભો થતો નથી, અને બોલતું નથી. તે વખતે તારે મારા પિતાનું આ ખર્શ ગ્રહણ કરવું.” તે વખતે તે રાક્ષસ મનુષ્યનું શબ હાથમાં લઈને ત્યાં આવ્યો અને આગળ(નુખ) ધનદને જોઈને હાંસી સહિત આ પ્રમાણે બે કે-“અહો! આશ્ચર્ય છે કે-આજે મારું ભક્ષ્ય પિતાની જાતે જ આવ્યું.” એમ કહીને અવજ્ઞાવડે જ તેણે તે શબને તજી દીધું. પછી જેટલામાં તે વિદ્યાની પૂજા કરવા પ્રવર્યો ત્યારે તે ધનદે તેને આ પ્રમાણે કહ્યું કે “અરે! હમણાં હું ખડ્ઝને ખેંચીને તને હઈશ.” પછી અવજ્ઞાથી હસતાં તેણે વિદ્યાની પૂજા કરી. પછી તે ધનદે ખગ્ગવડે તત્કાળ તેનું મસ્તક પૃથ્વી પર પાડીને તેને મારી નાંખ્યો. પછી રાક્ષસે જ કરેલી વિવાહની સામગ્રીવડે તે ધનદ રૂપવડે યુક્ત તે તિલકસુંદરી નામની કન્યાને પરણ. તેણીની સાથે કેટલાક દિવસ ભેગ ભેળવીને ત્યાર પછી તેને અને સાર તુને ગ્રહણ કરીને તે જ કૂવાને વિષે તે આવ્યા. ફરીથી પાછા વળીને તેણે મનની પ્રિય વસ્તુ આણુ અને માર્ગમાં ફરીથી ચકેશ્વરી દેવીને ભક્તિપૂર્વક વાંદી. તે વખતે તે દ્વિીપની પાસે કોઈક વહાણું આવ્યું તેમાંથી માણસે પાણીને માટે તે કૂવા પાસે આવ્યા. તેઓએ તેમાં દેરડું નાંખ્યું. તેને પકડીને ધનદ બે કે-“હે પુણ્યશાળી પુરુષ ! આ કૂવામાં હું પડેલો છું, તેથી મને તમે ઉગારો (બહાર કાઢો.” તેઓએ તે વાત તરત જ દેવદત્ત નામના સાર્થવાહને કહી ત્યારે કૌતુકથી ભરપૂર મનવાળે તે પણ ત્યાં આવ્યું. પછી દેરડાવડે માંચીને બાંધીને તે માંચી કૂવામાં નાંખી. તેના ઉપર ચડીને ધનદ કૂવાની બહાર નીકળે. સુંદર આકારવાળા અને વસ્ત્ર તથા આભરણથી ભૂષિત તેને જોઈને અત્યંત વિસ્મય પામેલા સાર્થવાહે ગૌરવથી તેને પૂછયું, કે–“હે ભદ્ર! તું કોણ છે? અથવા આ કૂવામાં તું કેમ પડ્યો?” તે બોલ્યો કે-“હે સાર્થપતિ ! મારી ભાર્યા પણ આમાં પડેલી છે. તથા દેવતાએ આપેલી અમારી રત્નાદિ બીજી વસ્તુ પણ છે, તે બહાર કાઢીને પછી મારી સર્વ શુદ્ધિ (વાત) હું તને કહીશ.” ત્યારે “ભલે, એમ કર.” એમ તેના વડે કહેવાયેલા તેણે પણ તે પ્રકારે કર્યું. તે વખતે તિલકસુંદરીને જોઈને તે સાથે પતિ આશ્ચર્ય પામ્યું. ફરીથી પણ તેના વડે પૂછાયેલ ધનદ પણ આ પ્રમાણે બોલ્યો કે-“હે સાર્થવાહ! આ ભરતક્ષેત્રમાં રહેનારે જાતિવડે વણિક છું. પ્રિયા સહિત હું વહાણવડે કટાહ દ્વીપ તરફ ચાલ્યા
૧. સરળ-ભેાળી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org