________________
બીજો પ્રસ્તાવ : ધનદને પ્રાપ્ત થયેલ પાંચ રત્ન.
[ ૩૧ ].
ગયા. તેણે તે દ્વીપ જોઈને પિતાના પુરુષોને જળ તથા ઇંધન લાવવા માટે મોકલ્યા. ત્યાં તેઓએ ધનદને છે. તેઓએ પૂછયું કે-“હે પુરુષ! તું કોણ છે?” તે બોલ્યો કે-“હું વનચર છું.” તેઓએ કહ્યું કે-“તો તું અમને કઈક જળનું સ્થાન દેખાડ.” ત્યારે તેણે તેઓને તે કૂવે દેખાડ્યો. તેઓએ પણ તે કૂવાની પાસે તેણે પૂર્વે જે સંચિત (એકઠું) કર્યું હતું, તે સુવર્ણાદિક જોયું અને પૂછ્યું કે-“આ ધન કેનું છે?” તેણે પણ તેઓને કહ્યું કે-“આ ધન મારું છે. તેથી આ ધનને જે પુરુષ મારા સ્થાને લઈ જાય, તેને આનો ચેાથે ભાગ આપું.” એમ તેણે કહ્યું ત્યારે તે સાર્થવાહ પણ ત્યાં આવ્યો. ધનદે તેની પ્રણામાદિક ઉચિત ક્રિયા કરી. સાર્થવાહે તેને આલિંગન કરીને તથા કુશલાદિક પૂછીને તે સુવર્ણ અને રત્નો લઈ જવાનું અંગીકાર કર્યું. પછી તે ધન નોકર પાસે ઉપડાવીને પિતાના વહાણમાં નંખાવ્યું. ધનદે પણ તે સર્વ ગણીને તેઓને સોંપ્યું. તે ઘણું ધન જોઈને ચલાયમાન ચિત્તવાળા સાર્થવાહે પિતાના માણસોને આદેશ કર્યો કે
આને કૂવામાં નાંખો.” ત્યારે તેઓએ ધનદને કહ્યું કે-“હે ભદ્ર! તું કૂવામાંથી જળને ખેંચ. અમે બરાબર જાણતા નથી, અને તેં તો તે ખેંચવાનું કામ પૂર્વે કર્યું છે.” ત્યારે તે કરવાને ઉદ્યમી થયેલા તેને કુપા રહિત તેઓએ કૂવામાં નાંખે. કેમકે અર્થમાં લુબ્ધ થયેલા મનુષ્યો બંધુને પણ હણે છે, તે પછી બીજાની શી કથા કહેવી ? તે ધનદ તે કુવાની મથે પાંદડાંવડે વ્યાપ્ત મેખળા ઉપર પડ્યો. તેથી ભાગ્યને લીધે તેને થોડી પણ અંગની પીડા થઈ નહીં. પછી તે ગાથાને વિચારતો તે કૂવાના પાર્શ્વ ભાગને જેવા લાગે. એક ઠેકાણે વિવર જોઈને તેમાં કૌતકથી તે પઠે. પછી મનહર પગથિયાની શ્રેણિવડે કાંઈક નીચે જઈને સરળ માર્ગ વડે જ જતા અને અનેક આશ્ચય જોતા તેણે એક દેવકુલ જોયું, તથા તેની મળે ગરુડ ઉપર ચડેલી, કાંતિવાળી હાથમાં ચકવાળી ચકેશ્વરી દેવીને જોઈ. તેને નમીને મોટી ભક્તિવડે મસ્તક ઉપર અંજળી (બે હાથ) જોડીને બોલનારાઓમાં શ્રેષ્ઠ પનદે આ પ્રમાણે વિનંતિ કરી કે-“શ્રી વૃષભસ્વામી જિનેશ્વરની હે શાસનદેવી! હે દુષ્ટ અરિષ્ટને હરણ કરનારી ! અને તે સ્તુતિ કરનારને સર્વ સંપદા કરનારી! તું જય પામ. હે દેવી! કષ્ટથી પીડાયેલા મેં આજે તને જોઈ, તે બહુ સારું થયું. તેથી તારા ચરણ મારું શરણ થાઓ.” તેની ભક્તિથી હર્ષ પામેલી તે બોલી કે-“હે વત્સ! આગળ ગયેલા તારું સર્વ ભદ્ર (સારું) થશે. મારી પાસે પણ કાંઈક માગ.” ત્યારે તે બે કે-“હે દેવી! પુણ્ય રહિત પ્રાણીઓને અત્યંત દુર્લભ તમારું દર્શન થવાથી પૃથ્વી ઉપર શું પ્રાપ્ત નથી થયું?” પછી તે દેવીએ તેના હાથમાં મોટા પ્રભાવવાળાં પાંચ રનો આપ્યાં, અને તેનો પ્રભાવ કહો કે “એક રત્ન સૌભાગ્ય કરનારું છે, બીજું લક્ષમીનું સ્થાન છે, ત્રીજું તત્કાળ રોગને નાશ કરનારું, ચોથું વિષને નાશ કરનારું અને આ પાંચમું રત્ન આપત્તિને નાશ કરનાર છે.” એમ કહીને દેવી અદશ્ય થઈ ગઈ. ધનદ પણ ત્યાંથી આગળ ચાલે, એક ઠેકાણે સંહિણી નામની ઉત્તમ ઔષધિ જોઈને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org