SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૦ ] શ્રી શાંતિનાય પ્રભુ ચરિત્ર. પાંદડાંથી ઉત્પન્ન થયેલેા શબ્દ થયા. ત્યારે “ આ કેાઈક વનચર જીવ જાય છે” એમ ધારીને તે લુબ્ધકે જેમ અસજ્જન વાણીવર્ડ હૃદયમાં વીંધે તેમ તેને શરવડે પગમાં વીંધ્યા. પછી વીંધવા લાયક પશુ વીંધાયેા એમ જાણીને વ્યાધ તેની પાસે આન્યા. પ્રહારથી પીડા પામેલ ધનદ પણ તે ગાથાના ઉચ્ચાર કરતા હતા. તે સાંભળીને લુબ્ધકે વિચાર્યું કે—“ હા ! મૂઢ ચિત્તવાળા મેં કાઇક ખેદ પામેલ સૂતેલા પથિકને બાણવર્ડ માર્યા. ” એમ વિચારીને એલ્સે કે—“ હે ભદ્ર ! અજાણતા મેં કયા અંગને વિષે તને વીંધ્યેા છે ? ” એમ કહીને તેણે તેના પગમાંથી માણુને ખેંચી કાઢવુ. પછી તે ત્રણને વિષે પાટા બાંધવાનુ કરતા તેને ધનન્દે નિવાર્ય, અને પેાતાને સ્થાને જા એમ કહીને તેને વિદાય કર્યો. તેના ત્રણમાંથી રુધિર નીકળવા લાગ્યું અને રાત્રિ વ્યતીત થઇ ત્યારે એક ભાર ડપક્ષી તેને મરેલાની બુદ્ધિથી આકાશમાં લઇ ગયા. પછી સમુદ્રના મધ્ય દ્વીપમાં તેને મૂકીને તે તેને ખાવા માટે તૈયાર થયા. તે વખતે તેને જીવતા જાણીને તે પક્ષી ઊડીને જતા રહ્યો. પછી ધનદ ઉઠીને જેટલામાં ચાતર દિશાએને જોવા લાગ્યા તેટલામાં ત્યાં ભયંકર અને મનુષ્યરહિત અટવીને જોઇ. અને તે વિચારવા લાગ્યા કે અહે। મારું નગર કયાં ? અને આ ભયંકર અટવી કયાં ? અથવા આ ચિતાએ કરી સર્યું. દૈવની ચિંતા જ ખળવાન છે.” પછી ક્ષુધા અને તૃષાથી પીડા પામેલા ડાવાથી ફળની આશાવર્ડ ત્યાં ભ્રમતા તેણે પડી ગયેલા ઘરના સમૂહવાળું એક શૂન્ય નગર જોયું. તથા એક કૂવા જોઈને કાંઈક કષ્ટથી તેનુ પાણી કાઢીને અને પીને શરીરમાં રહેલી તૃષાનુ નિવારણ કર્યું. તથા કદલી( કેળ )થી ઉત્પન્ન થયેલા ફ્ળા( કેળાં )વડે પ્રાણયાત્રા કરીને ભય પામેવા તે તે નગરથી પણ દૂર ગયા. આ અવસરે તેજ રહિત થયેલે સૂર્ય “હું પણ આવી અવસ્થાને પામ્યા છે. ” એમ જાણે ધનદને એધ કરતા હાય તેમ અસ્ત પામ્યા. સૂર્ય અસ્ત પામ્યા ત્યારે વિશેષ જ્ઞાનના અભાવથી પ્રસરતા અજ્ઞાનવર્ડ જેમ ફ્લેશ પામે તેમ જગત અધકારવર્ડ કલેશ પામ્યું. પછી કાઇ પર્વતની પાસે કાવર્ડ અગ્નિ ઉત્પન્ન કરીને તેના તાપવડે ઠંડી રહિત થયેલા તેણે રાત્રિને નિર્ગમન કરી. પછી પ્રભાતસમયે અગ્નિના પ્રદેશની પૃથ્વીને તેણે તત્કાળ સુવર્ણમય થયેલી જોઇ, અને વિસ્મય સહિત આ પ્રમાણે વિચાર્યું. કે—“ અવશ્ય આ સુવર્ણ દ્વીપ જ છે કે જેથી આ પૃથ્વી સળગેલા અગ્નિથી તત્કાળ સુવર્ણમય થઇ. તેથી હું સુવર્ણ ઉત્પન્ન કરું, ” એમ વિચારીને તેણે ઈંટોના માટા સમૂહ કર્યો, તે સર્વે અગ્નિવર્ડ સુવર્ણ રૂપ થયા. પછી એક દિવસ ભમતા તેણે કેાઈ પતના નિકુંજમાં ( ગુફામાં ) રત્નાના સમૂહ જોયા. તેને તે સુવર્ણની પાસે લાખ્યા. આ પ્રમાણે તેણે સુવર્ણ અને રત્નના મેાટા રાશિ ( ઢગલા ) કર્યાં. અને હ ંમેશાં તે કદલી વિગેરેના ફળવડે પ્રાણયાત્રા કરતા હતા. પછી કાઇક દિવસ સુદત્ત નામના સાવાહ તે પ્રદેશમાં આવ્યા. તેના વહાણુમાં પૂર્વે સંચય કરેલ જળ અને ઇંધન ખૂટી ૧. વિચારવડ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy