________________
બીજો પ્રસ્તાવ : મત્સ્યોદરની કથા.
[ ૨૯ ]
તેના હાથમાં ગાથા સહિત એક પત્ર આપ્યું ત્યારે તે બે કે–“હે રંડા (રાંડ)! આ પત્રના કકડાવડે હું શું કરું ?” દેવતા બેલી કે–“ આ ગાથા તારે વેચવી. મારી આજ્ઞાથી તું એક હજાર દીનાર (સોનામહાર) મેળવીશ.” ત્યારે તેની વાણથી તે પત્ર લઈને તે ચોટાની મધે ગયે. અને આ પ્રમાણે છે કે –“આ ગાથા વેચવી છે. અહા! તેને કોઈ ગ્રહણ કરે.” તે અસાર વસ્તુને જોઈને કૌતુક પામેલા વણિકે તેનું મૂલ્ય પૂછયું. ત્યારે તેણે એક હજાર દીનાર માગી. તેનું અસંભવિત મૂલ્ય હોવાથી સમગ્ર (કોઈ પણ) માણસે તે ગ્રહણ કર્યું નહીં ત્યારે અનુક્રમે તે શ્રેષ્ઠીપુત્રની દુકાને ગયે. તેને આપીને તેનું મૂલ્ય કહ્યું ત્યારે તેણે તે પત્ર ગ્રહણ કરીને તેમાં લખેલી ગાથાને આ પ્રમાણે વાંચી –
"जकिर विहिणा लिहियं, तं चिय परिणमइ सयललोयस्य ।
ય માવિન ધી, વિરે વિ જ ય હુંતિ ૨૬૨ છે” અર્થ_વિધાતાએ જે લેખ લખ્યા હોય તે સર્વલકને અવશ્ય પરિણમે છે. આ પ્રમાણે ભાવના ભાવીને ધીર પુરુષો કચ્છમાં પણ કાયર થતા નથી.”
તે વાંચીને ધન્ય એવા તેણે વિચાર્યું કે-“આ ગાથા લાખ દીનારવડે પણ મળે તેવી નથી. તેથી હજાર દીનારવડે સસ્તી આ ગાથા ગ્રહણ કરવી.” પછી તેને તેનું માગેલું મૂલ્ય આપીને તે મોટી બુદ્ધિવાળે તે પત્રને અંગીકાર કરીને તેને વારંવાર વાંચવા લાગ્યું. આ અવસરે તેના પિતા ત્યાં આવ્યે અને તેને કહ્યું કે-“આજે તેં કાંઈ વેપાર કર્યો કે નહીં? તે મને કહે.ત્યારે પાસે રહેલા વણિકપુત્રએ હાંસી સહિત આ પ્રમાણે કહ્યું કે-“હે શ્રેષ્ઠી ! તમારા પુત્રે આજે મોટો વેપાર કર્યો છે કે–એક હજાર દીનાર આપવાવડે એક ગાથા ગ્રહણ કરી છે, આ વાણિજ્ય કળાવડે તે લક્ષમીને વૃદ્ધિ પમાડશે.” ત્યારે ક્રોધ પામેલા શ્રેણીએ પુત્રને કહ્યું કે-“હે દુષ્ટ ! તું અહીંથી જતો રહે. શાળા શન્ય સારી પણ ચારોથી ભરેલી સારી નથી. ” આ પ્રમાણે અપમાનને પામેલ ધનદ પણ તે જ વખતે દુકાનથી ઉઠીને તે ગાથાને અર્થે વિચાર નીકળી ગયો. માનરૂપી ધનવાળો તે નગરમાંથી નીકળીને ઉત્તર દિશામાં નજીક રહેલા વનને વિષે દિવસને છેડે (સાંજે) પ્રાપ્ત થયું. ત્યાં તેણે સાધુના ચિત્ત જેવું ગંભીર, રસવાળું, સ્વચ્છ,
સદ્દવૃત્ત અને સત્ત્વવડે શોભતું એક સરોવર જોયું. તેમાં સ્નાન કરીને તથા પાણી પીને તેની પાસે રહેલા ન્યગ્રોધ (વટ) વૃક્ષની નીચે રાત્રિને વિષે તે વૃક્ષના પાંદડાની શવ્યા ઉપર તે સૂતે. આ અવસરે ત્યાં ધનુષ્યને ધારણ કરનાર એક વ્યાધ (શિકારી નર) જળપાન કરવા માટે આવેલા વનચર જીવોને હણવા માટે આવ્યા તે વખતે કાંઈક નિદ્રાને કરતા અને ચિંતાવાળા તે શ્રેષ્ઠીપુત્રે પોતાનું અંગ કાંઈક ચલાયમાન કર્યું ત્યારે તે શુક
૧. સરવર સારૂં ગેળ, અને સાધુનું ચિત્ત સારા આચરણવાળું. ૨. સરોવરના પક્ષમાં સત્વ એટલે પ્રાણીઓ અને સાચિતના પક્ષમાં સત્વ એટલે આત્મવીર્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org