SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ સુકૃતસાગરે યાને માંડવગઢને મહામંત્રીશ્વર ચૈત્ય કરાવવાની ભૂમિ મળ્યા પછી તે મંત્રીને જે એક બુદ્ધિમાન સૂત્રધાર મળે, તેને સંબંધ હવે કહે છે.—પહેલાં સિદ્ધરાજે રૂદ્રમહાલય (રૂદ્રમાળ) કરાવીને પછી આવું કામ આ બીજે ઠેકાણે ન કરે” એવી ઈચ્છાથી તે સૂત્રધારને બંધ કર્યો. ત્યારે તે સૂત્રધારે તેથી પણ અધિક જૈન પ્રાસાદ કરવાની પ્રતિજ્ઞાપૂર્વક ઈચ્છા કરી, પરંતુ તે વખતે જૈન પ્રાસાદ કરાવનાર કેઈ મહાપુરૂષ મળે નહીં. છેવટ પોતાને અંત સમયે તેણે પોતાની પ્રતિજ્ઞા તેના પુત્રને સ્વીકાર કરાવી અને તે મર્મસ્થાનને પીડા કરનાર શલ્યને દૂર કરી સુખે સમા ધિએ મરણ પામ્યા. ત્યારપછી બીજી ત્રણ પેઢી સુધી તે પ્રતિજ્ઞા પૂર્ણ ન થવાથી એમની એમ ચાલી આવી. પછી પાંચમી પેઢીએ કળાના સમુદ્રરૂપ રત્નાકર નામે સૂત્રધાર થયો. તે ઘણે કાળ ગયા છતાં પણ જાણે તાજું વેર હોય તેમ તે પ્રતિજ્ઞાને ધારણ કરતો હતો. કેમકે દ્વેષ, પ્રેમ અને દેવું (દેણું) એ સમુદ્રની જેમ ક્ષીણ થતા નથી. તેથી તે ઉત્તમ ચૈત્ય કરવાની ઈચ્છાથી સર્વત્ર ફરતું હતું, તેથી તેવું ચૈત્ય કરાવવાની ઈચ્છાવાળા તે પેથડ મંત્રીને સાંભળી તે તેને મળ્યો, તેની સાથે સર્વ વાતચીત કરી. સરલ હૃદયવાળા પેથડ તે રત્નાકર પાસે તેને આરંભ કરાવી બીજા કારીગરે તેને સેંપી તથા પોતાના વાણોતરને ત્યાં રાખી પોતે અવન્તીમાં ગયો. પછી કીર્તિ વડે દિશાએને સુગંધિ કરનાર તે મંત્રીએ કારીગરોને માટે બત્રીશ ઉંટડી (સાંઢ) ભરીને સુવર્ણ મોકલ્યું. તે ચૈત્યને માટે દશ હજાર ઇંટેના નિભાડા રોકવામાં આવ્યા, તે દરેક નિભાડામાં દશ દશ હજાર ઈટે પકાવવામાં આવતી હતી. ક્ષીરસાગરમાં પડેલો વિષને બિન્દુ જેમ કોઈ પણ દેશને કરી શકતો નથી, તેમ ચૈત્ય કરાવવાથી ઉત્પન્ન થતા પુણ્યમાં તેના આરંભથી ઉત્પન્ન થયેલું પાપ કાંઈ પણ દેષને કરી શકતું નથી. ત્રણ વાંસ ઉંડા દેલા પાયામાં પૂરેલા પથરાઓની સાંધેમાં અનુક્રમે પાંચશેર, દશેર અને પંદર શેર સીસાને રસ પૂર્યો હતો. તે ચિત્યમાં કેટલીક એકવીશ ગજની લાંબી ચાદસે ને ચુમાબીશ પથ્થરની પાટો ગોઠવવામાં આવી હતી. એકદા ઇંડું ચડાવવાની પાટને અંદરના કિલ્લાથી વિન આવે છે એવું સાંભળી દેદપુત્રે (પેથડે) એકદમ ત્યાં આવી એક રાતમાં જ તેટલા વિભાગમાં રહેલા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy