SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ કર સુકૃતસાગર માને માંડવગતના મહામ ત્રીશ્વર. (6 માંડવાની જેમ બ્રહ્માંડ ઉપર ચડે છે. ” ઇત્યાદિક અસત્ય જેવા વર્ણનને હમેશાં સાંભળતા હેમાદિએ એકદા મનમાં વિચાર કર્યાં કે—“ મે જન્મથી આરંભીને અત્યાર સુધી યાચકાને ગાળેા સિવાય ખીજું કાંઈ આપ્યું નથી, તે આ લેાકેા દાનશાળાની વાત શી કરે છે ? કદાચ કાંઈ એકાદ માણસ આવું વચન આલે તો તે ખોટુ હાઈ શકે છે, પર ંતુ આટલા બધા લોકો આટલા લાંબા કાળથી મેલે છે, તેથી તેએ અસત્યવાદી હૈાય નહીં. ” આ પ્રમાણે વિચાર કરીને તેણે પેાતાના એક માણસને તે જોવા માટે આંકારપુરમાં માકલ્યા. તે ત્યાં જઇને પાછા આવ્યા, અને જાણેલી હકીકત આ પ્રમાણે કહેવા લાગ્યા હું મંત્રીશ્વર ! સર્વ પ્રકારના સ્વાદિષ્ટ રસવાળી તે દાનશાળામાં જે ભાજનના રસ લે છે, તે જિલ્લાને હું રસજ્ઞા કહું છું, અને મીજી જિહ્વા તે માત્ર સ્વાદ કરવાથી રસના કહેવી જોઇએ. ત્યાં જમવા આવેલા મનુષ્યમાંથી કોઇપણ મનુષ્ય સ ંતાષ પામ્યા વિના જતે નથી, અવજ્ઞાથી જેવું તેવું ભાજન કરીને જતા નથી, તથા તમારી પ્રશંસા કર્યા વિના જતા નથી. આટલા ત્રણ વરસના કાળમાં કુલ સવા કરોડ રૂપીયાના જ ખ તમારે થયેા છે, પરંતુ હું માનુ છું કે તમારા યશ અને પુણ્ય તે કરોડ કલ્પાંત કાળ સુધી પહોંચે તેટલા થયા છે. આ પ્રમાણે કાનરૂપી નીકદ્વારાએ આવેલા તેના વચનરૂપી જળવડે તે હેમાદિનું હૃદય સિંચાયું, તેથી તેના આખા શરીરમાં રામરૂપી અંકુરાના સમૂહ પ્રગટ થયાામાંચ ખડા થયા. ત્યારપછી તે હેમાદ્દેિ જાતે આંકારપુરમાં ગયા. ત્યાં દાનશાળાના અધિકારીને સારીરીતે પૂછી દાનશાળાના માલિક પૃથ્વીધર છે એમ જાણી તેણે મનમાં તેની પ્રશ ંસા કરી કે- “ તે પુણ્યવતી સ્ત્રીની કુક્ષિનું હું ઉતારણું થાઉં છુ, કે જેણીએ આ પૃથ્વીધરરૂપી રત્ન ઉત્પન્ન કર્યું છે. જે સ્ત્રીને આવા પૃથ્વીધર જેવા લેાકેાત્તર ગુણવાળેા પુત્ર હાય, તે પુત્રવતી સ્ત્રી ખુશીથી ગ ધારણ કરો. બીજાના ધનથી પેાતાનું નામ પ્રસિદ્ધ કરનારા ઘણા લેકે જગતમાં હોય છે; પરંતુ પેાતાના ધનવડે ખીજાની પ્રસિદ્ધિ કરનાર તે એક પૃથ્વીધર જ છે, ” આ પ્રમાણે મનમાં તેની પ્રશંસા કરીને તે સ્વની નગરીના ગૌરવને તિરસ્કાર કરનાર માંડવગઢમાં ગયા અને દેદના પુત્ર પેથડને તે મળ્યા. પેથડે પણ હર્ષોંથી તેના સત્કાર કર્યા, ,, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy