SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ સુકૃતસાગર યાને માંડવગઢને મહામંત્રીશ્વર, “હે બાળકે ! તમે કહે, કે મારા કામે કઈ પણ ઠેકાણે છે?” ત્યારે તેઓ બોલ્યા કે –“ હા, તમારા કામે મલવા દેશમાં છે.” તે સાંભળીને હથી ભરપૂર થયેલે તે પેથડ પ્રાતઃકાળે ઘેર આવ્યા, અને તરત જ એક પિટીમાં ઘરનું સર્વસ્વ નાંખી માલવ દેશ તરફ ચા . કહ્યું છે કે– " गन्तव्यं नगरशतं, विज्ञानशतानि शिक्षितव्यानि । भूपतिशतं च सेव्यं, स्थानान्तरितानि भाग्यानि ॥ १६॥" સેંકડે નગરમાં જવું, સેંકડો કળાઓ શીખવી, અને સેંકડે રાજાઓની સેવા કરવી, કેમકે મનુષ્યનાં ભાગ્ય સ્થાનના આંતરાવાળા હોય છે એટલે અમુક સ્થાને જ ભાગ્ય ઉઘડે છે.” તે પેથડ પ્રિયા અને પુત્ર સહિત કેટલેક દિવસે અતિ શોભિત મંડપદુર્ગના દરવાજાએ પહોંચે. તે દરવાજે મને હર પુતળીઓ અને ઉંચા તેરણના કિરણ વડે વ્યાપ્ત હતું, તેથી તે લંકા નગરીના સુવર્ણમય દરવાજાથી પણ અધિક શેભાને પામતે હતો. આવા શ્રેષ્ઠ નગરમાં તે પેથડ જેટલામાં પ્રવેશ કરતું હતું, તેટલામાં તેણે ડાબી બાજુએ એક સર્પની ફણા ઉપર શબ્દ કરતી અને નૃત્યની કીડા કરતી એક દુર્ગા જોઈ, તે વખતે તેણે વિચાર કર્યો કે –“ પ્રવેશ કરતી વખતે જો ડાબી બાજુએ શબ્દ કરતી દુર્ગા જોવામાં આવે તે તે કલ્યાણકારક નથી, તે પછી કાળા સર્ષની ફણ ઉપર રહેલી તે દુર્ગા કલ્યાણકારક કયાંથી જ હોય ?” આ પ્રમાણે જાણી તેને અપશુકન માની તેના નિવારણ માટે નવકાર મંત્રનું સમરણ કરતા તે પેથડ ક્ષણવાર રાહ જોવા લાગે–પ્રવેશ કરવામાં વિલંબ કરવા લાગ્યું. તેટલામાં ત્યાં કોઈક મારવાડને જેશી આવ્યું. સૂફમ બુદ્ધિવાળા તે જોશીએ તે અતિ શ્રેષ્ઠ શુકનને તથા પેથડને રાહ જોત જોઈ તેને રાહ જોવાનું કારણ પૂછ્યું, ત્યારે પેથડ બેલ્યો કે –“ નગરમાં પ્રવેશ કરતાં મને શુભ શુકનની અનુકુળતા થઈ નહીં, તેથી મેં પ્રવેશ કરવામાં વિલંબ કર્યો છે. કહ્યું છે કે ૧ ચીબરી નામનું પક્ષી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy