SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ કૃતસાગર યાને માંડવગઢને મ મંત્રીશ્વર. ૩ “તિર્યંચ પ્રાણીઓ જે પૂર્વ ભવમાં નિયમિત-વિરતિવાળા રહ્યા હોત, તે તેઓ આ તિર્યંચના ભાવમાં સેંકડે ચાબક, અંકુશ, અને આરના પ્રહારને તથા વધ, બંધન અને મારણને પામત નહીં.” આ પ્રમાણે જાણીને તે ધનિકે પરિગ્રહ પ્રમાણને સ્વીકાર કરતા હતા. તે વખતે બાલ્યાવરથાથી જ દેવ અને ગુરૂની અદ્વિતીય ભક્તિ કરનાર પેથડ ત્યાં ગુરૂને વાંદવા આવ્યું, તે વખતે ફાટેલા વસ્ત્રવાળા, પરસેવાથી વ્યાપ્ત, મેલવાળા અને જાણે કે મૂર્તિમાન દારિદ્રથ હાય તેવા તેને જોઈને સર્વ વેપારીઓ હસવા લાગ્યા અને બોલ્યા કે-“હે પૂજ્ય ગુરૂ ! આ પેથડ લાખ વર્ષે લશ્વર અને કોટિધ્વજ થવાનું છે, તેથી તેને કેમ આ વ્રત ન આપવું ?” તેમનું આવું વચન સાંભળીને શ્રીગુરૂ મહારાજે તેમને કહ્યું કે–“હે ભાગ્યવંત ! કોઈએ લમીને ગર્વ કરે એગ્ય નથી. કારણકે લક્ષ્મી મનુષ્યને ઉંચે રથાને આરોપણ કરીને તત્કાલ નાશી જાય છે, એટલે દારિદ્ર તેને અવલંબન આપે છે, તેનાથી તે નીચે ઉતરે છે. અંદરથી અથવા બહારથી જે મદ કરે તે હાથીઓનું જ ભૂષણ છે, અને પુરૂષને તે આઠમાંથી કઈ પણ મદ કરે તે તેના હિતને નાશ કરનાર છે. કહ્યું છે કે– જાતિ, લાભ, કુળ, ઐશ્વર્ય, બળ, રૂપ, તપ અને શ્રત આ આઠમાંથી કઈ પણ વડે મદ કરનાર મનુષ્ય ફરીથી–પરભવમાં તે તે વસ્તુને હીન હીન પામે છે.” આ પ્રમાણે તેઓને કહીને પછી ગુરૂ મહારાજે પેથડને ધર્મલાભને આશીર્વાદ આપવા પૂર્વક કહ્યું કે “હે ભદ્ર ! તું પણ આ ભવ અને પરભવમાં સુખ આપનાર પાંચમું અણુવ્રત ગ્રહણ કરે.” ત્યારે તે બે કે– “જેઓ ઘણા પરિગ્રહ (ધન)વાળા હોય તેઓને જ આ વ્રત લેવું યોગ્ય છે. પાણી વિના પાળ બાંધવાની જેમ મારે તે વ્રત લેવું કેમ યોગ્ય હોય ? તેથી જે આ ધનિકની સાથે હું પહેલું વ્રત ગ્રહણ કરું, તે સુવર્ણની સાથે કાંટામાં આહણ કરનાર ચણોઠીની જેમ હું મુખની શ્યામતાને જ પામું. તે આ પ્રમાણે પ્રથમ સુવર્ણ કહે છે કે–“મને ટાંકણાથી જે છેવામાં આવે છે તેમાં મને કાંઈ દુઃખ નથી. અગ્નિમાં નાંખીને દાહ કરે છે તેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy