SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ તગ. પણ તે પિતાના આચારને ત્યાગ કરતા નથી. છેદ અને ઘસવાનું કઈ પામ્યા છતાં પણ ચંદન સુંદર સુગંધને જ મૂકે છે. તે સાંભળી કેના ઘરથી આ ખીર લાવ્યું છે ?” એમ તે ચેગીના પૂછવાથી તેના ચાકરે તેને અમુક ઘરથી લાવ્યાનું કહ્યું, એટલે તે એગીએ તે વણિકને કહ્યું કે “આ ખીર નાંદુરી નગરીમાં રહેનાર નાગ નામના શ્રેણીની ત્રદેવીની પાસે ધરેલી હતી તે આણી છે, તેથી તું બા.” તે સાંભળી તે વણિક તે ભજન કરો તૃપ્ત થયું. પછી કુલ અને આચાર વિગેરે ગુણેથી લાયક એવા તે દેદને સુવર્ણસિદ્ધિને આમ્નાય આપવાની યેગીને ઈચ્છા થઈ. કહ્યું છે કે" आमे घडे निहित्तं, जहा जलं तं घडं विणासेइ । इय सिद्धंतरहस्सं, अप्पाहारं विणासेइ ।। ६ ॥" જેમ કાચા માટીના ઘડામાં નાંખેલું પાછું તે ઘડાને વિનાશ કરે છે, તે જ પ્રમાણે અલ્પ આધારમાં એટલે અગ્ય પાત્રમાં નાંખેલું સિદ્ધાંતનું રહસ્ય તેને નાશ કરે છે. ” सर्वत्रोपचिकीर्षा, महतां खलु सा च युज्यते स्थाने । पर्जन्योऽप्यभिवर्षति, मरुस्थले शिथिलनिर्बन्धः॥ १० ॥ મહા પુરૂષને સર્વત્ર ઉપકાર કરવાની ઈચ્છા હોય છે, પરંતુ તે ઈચ્છા પાત્રને વિષે કરવી એગ્ય છે. મેઘ પણ મરૂભૂમિને વિષે વૃષ્ટિ કરે છે પણ તેમાં તેને શિથિલ આદર હોય છે.” ત્યાર પછી દયાના સાગરરૂપ તે ગદ્દે દેદને કહ્યું કે–“જે તું મારું કહેવું કરે તે હું તારા ઉપર એક ઉપકાર કરૂં.” ત્યારે તે વણિક નમન કરીને બે કે –“હે પૂજ્ય ! આવું વચન તમે કેમ બેલે છે ? ઇદ્ર પણ તમારા વચનને ઉલ્લંઘન કરવા શક્તિમાન નથી, તે મારા જે મનુષ્ય કઈ ગણતરીમાં છે? પુણ્યથી પામી શકાય એવા તમારા વચનને હું મારા અંતઃકરણરૂપી ઘરની અંદર રાખીને ઈષ્ટ વસ્તુને આપનાર ચિંતામણિ રત્નની જેમ તેનું નિરંતર આરાધન ૧ મારવાડની ભૂમિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005222
Book TitleSukrutsagar yane Mandavgadh no Mahan Mantrishwar
Original Sutra AuthorN/A
AuthorRatnamandan Gani
PublisherAtmanand Jain Sabha
Publication Year1930
Total Pages160
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy