SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ હાલના સંપ્રદાયે પ્ર. ૩ પ૧ ::* * *- :.' 'C' ', - અને આ રીતે સ્ત્રીને હલકી પાડવાના ષના બચાવમાં આચાર્યોએ સ્ત્રીઓના જે દોષના બહાનાં બતાવ્યા છે તે સર્વ જઠા છે કારણ કે એ જ દેશે સ્ત્રીઓમાં તેમ જ પુરુષોમાં પણ હોઈ શકે છે. છતાં સાધુઓએ એ બહાનાંને સત્ય તરીકે શ્રાવકોને સમજાવ્યા એટલે શ્રાવકો પણ અંધશ્રદ્ધાથી સાધુની વાત સાચી માની બેઠા ! મૂર્તિપૂજકોમાં સાધ્વીઓ માટેની ઉપરની છ યે બાબતે કડક રીતે પાળવામાં આવે છે. પરંતુ સ્થાનકવાસીઓ નં. ૩ અને ૪ ની બાબતમાં ઉદાર બન્યા છે. છતાં બાકીની બાબતમાં રથાનકવાસીઓ પણ મૂર્તિપૂજક જેટલા જ સંકુચિત વિચાર ધરાવે છે. દિગંબરોએ તો સાધ્વીની કક્ષા એટલી બધી ઉતારી પાડી છે કે તેમની તો વાત જ શી કરવી ? સાવી સ્ત્રીઓને પુરુષ સાધુઓથી ઉતરતી કક્ષાની માનનાર સાધુ તેમ જ શ્રાવકેએ નીચેની બાબતે વિચારવી ઘટે છે. ૧. જીવ સ્ત્રીત્વ પ્રાપ્ત કરે છે તે તેના પૂર્વભવના પાપનું ફળ છે પણ આ ભવના પાપનું ફળ નથી. આ ભવે સાધ્વી સ્ત્રી જ્ઞાને, વિદ્યાએ, ઉંમરે વૃદ્ધ હેય તેને ને દીક્ષિત યુવાન મુનિ વંદન ન કરે પણ એથી ઊલટું એ વૃદ્ધ સાધ્વી યુવાન નવદીક્ષિત સાધુને વંદન કરે. એને અર્થ એ થયો કે સાધ્વી સ્ત્રીના પૂર્વભવના પાપને માટે આ ભવે તેને તિરસ્કાર કરવામાં આવે છે. આવું વર્તન જૈન સિદ્ધાંતની વિરુદ્ધનું છે. ૨. પૂર્વ ભવના પાપ માટે ચાલુ ભવે એટલે વર્તમાન ભવે તે જીવ ધ, ગુણવાન, વિદ્વાન, ચારિત્રવાન હોય તે પણ તેને તિરસ્કાર કરવાનું ને સિદ્ધાંતમાં કયે ઠેકાણે જણાવ્યું છે? સિદ્ધાંતમાં એવો કો નિયમ છે? : : : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005219
Book TitleMul Jain Dharm ane Hal na Sampradayo
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha Mumbai
Publication Year1962
Total Pages534
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy