SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ હાલના સંપ્રદાયે પ્ર. ૩ ૨૩ લાગ્યા. કેટલાક સાધુઓ જેઓ વિરાધનાના ભીર હતા તેઓએ પિતાની ખુશીથી અન્નજળનો ત્યાગ કરી, અનશન કરી દેહત્યાગ કર્યો. ઘણાં વર્ષો જ્યારે સુકાળ થયો ત્યારે બધા સાધુઓ મગધમાં આવવા લાગ્યા. ત્યારે તેઓ એક બીજાને પૂછવા લાગ્યા કે તેમને શું શું યાદ છે. કારણ કે દુકાળના કષ્ટમાં પઠન પાઠનના અભાવે ઘણું ભૂલાઈ ગયું હતું. ત્યારે સમસ્ત શ્રમણ સંઘે એક એક થઈને બારે અંગ સાંગોપાંગ વ્યવસ્થિત કરવાનું નક્કી કર્યું. આ વખતે જૈનધર્મ એક જ હતો, તેમાં કઈ તડ કે સંપ્રદાય નહોતું, પરંતુ વેતાંબરે તરફના દ્વેષને લીધે દિગંબરે ભગવાન મહાવીર પ્રણિત સૂત્રો તરફ પણ એટલા બધા પી થઈ ગયા હતા કે તેમણે શ્રત વિચ્છિન્ન થયાનું જાહેર કર્યું તે પહેલાં ધૃતરક્ષાના પ્રયત્ન થયેલા તેની પણ કશી નોંધ દિગંબરેએ રાખી નથી. કારણ કે ખરી રીતે તેમણે જાહેર કર્યું ત્યારે પણ સૂત્રે વિચ્છેદ ગયા નહતા તે વાત દિગંબરના ગ્રંથે ઉપરથી જ સાબિત થાય છે. તેથી જ અહીં થતરક્ષાના જે જે પ્રયત્નોની વિગત આપી છે તે તાંબાના “તિસ્થાગાલી પન્ના વગેરેમાં આપેલ નોંધે ઉપરથી આપી છે. પહેલું મુનિસમેલન પાટલીપુત્રી વાચના વીર નિર્વાણુથી ૧૬૦ વર્ષની આસપાસમાં નંદરાજાના રાજ્ય અમલમાં સમસ્ત જૈન શ્રમણુસંઘની સમક્ષ પાટલીપુત્રમાં પહેલી વાચના થઈ. તેથી તે પાટલીપુત્રી વાચના કહેવાય છે. આ વખતે પટ્ટધર યુગપ્રધાન તરીકે શ્રી ભદ્રબાહુ આચાર્ય હતા. પરંતુ મુનિ સંમેલન વખતે તેઓ નેપાલમાં બાર વર્ષને “મહાપ્રાણ” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005219
Book TitleMul Jain Dharm ane Hal na Sampradayo
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha Mumbai
Publication Year1962
Total Pages534
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy