________________
૪૪૯
હાલના સંપ્રદાયે પ્ર. ૨૫ કે જીવનચર્ચામાં વિકલ્પ દબાવવાને બદલે ધણા વૃદ્ધિ પામે છે. માટે વિક૯૫ના પ્રશમન માટે ઘર આદિનું વાતાવરણું પ્રતિકૂળ રહે છે અને મંદિરનું વાતાવરણ અનુકૂળ રહે છે.
અનુકૂળ વાતાવરણમાં રહેવાથી પુરુષાર્થ કરવામાં કામ બળ વાપરવું પડે છે. ઓછી મહેનત પડે છે. જ્યાં સુધી આત્મબળ એાછું છે, જીવનની શક્તિ હીન છે ત્યાં સુધી પ્રતિકૂળ નિમિત્તનો ત્યાગ અને અનુકૂળ નિમિત્તના ગ્રહણની આવશ્યક્તા રહે છે.
મંદિરમાં આવીને પણ પ્રતિમામાં જીવિત દેવના દર્શન કરીને શાંતિમાં લય થવાને પ્રયત્ન કરવો જોઈએ. મંદિરમાં આવીને જે “આ મંદિર બહુ સુંદર છે, એના થાંભલા પણ આરસના છે, એમાં ખૂબ ખર્ચ થયું હશે, હજી આમાં આટલી ખામી છે.” ઈત્યાદિ વિકલ્પોમાં પડી જવાય તે દેવ દર્શનનું કાર્ય ભૂલી જવાય અને મંદિરમાં આવવું નિરર્થક બની જાય.
મંદિરમાં આવીને વિકપમાં નહિ પડતાં યથાર્થ રીતે દેવદર્શનનું કાર્ય કરવું એ જ કર્તવ્ય છે. દેવદર્શન કે દેવપૂજામાં કાંઈ વિશેષ ફરક નથી. દર્શન જ પુજન છે.
–શાંતિપથ પ્રદર્શનમાંથી સાભાર અનુવાદિત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org