SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ હાલના સ ંપ્રદાય પ્ર. ૨૦ ૩૩૭ છે કે એ તામ્રપત્ર ભટ્ટારક કાળમાં લખવામાં આવ્યુ છે અને ભટ્ટારક કાળ વિક્રમની સાતમી સદી પછી શરૂ થયા છે. આવી દશામાં એ તામ્રપત્રમાં આપેલે। સંવત કાઇ અર્વાચીન સંવત ઢાવે જોઈ એ અથવા તે એ તામ્રપત્ર જ બનાવટી હેવું જોઇએ. વળી ખેાધપાહુડની ગાથા ૬૧ માં શ્રી કુંદકુંદાચાર્યે કહ્યુ છે કે ભગવાનના ઉપદેશ ગ્રંથારૂઢ થયા પછી તેમણે તેમનું અધ્યયન કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું. એટલે કે પુંડ્રવન નગરમાં દિગમ્બર પુસ્તક ગ્રંથારૂઢ થયા કે જે શ્રુતાવતારના નામથી એળખાય છે તેનું અધ્યયન શ્રી કુંદકુંદાચાયે કરેલું હતું. શ્રુતાવતારના લેખ અનુસાર આરાતીય મુનિ વીર સંવત ૬૮૩ ( વિક્રમ સંવત ૨૧૩) સુધી વિદ્યમાન હતા. તેમના પછી અહુ બલિ થયા તે પછી ક્રમશઃ માધનન્દી, ધરસેન, પુષ્પદંત, ભુતબલિ નામના આચાર્યો થયા. પુષ્પદંત અને ભૂતાલિયે ષટ્સડાત્રમની રચના કરી. વળી ગુણધર મુનિએ નાગ હસ્તી તથા આ મદ્ભુને કષાય પ્રાભૂત સંક્ષેપથી શિખવ્યા. તેમની પાસેથી યતિવૃષભે અને યતિવૃષભ પાસેથી ઉચ્ચારણાચાયે કષાયપ્રાકૃતનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એ બન્ને પ્રકારના સિદ્ધાંત, ગુરુપર પરાથી પદ્મનદી ( કુંદકુંદાચાય ) સુધી પહોંચ્યા. શ્રુતાવતારના એ કથનથી સિદ્ધ થાય છે કે અંગ જ્ઞાનની પ્રવૃત્તિ જે વીર સ. ૬૮૩ સુધી ચાલતી હતી તે પછી અનેક આચાર્યાની પછી કુંદકુંદ થયા હતા. આથી પણુ સમજી શકાય છે કે દિગબરશ્રુત વિક્રમની પાંચમી સદીમાં ગ્રંથારૂઢ થયા પછી કુંદકુંદાચાર્યે તેનું જ્ઞાન મેળવ્યું હતુ અને ૨૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005219
Book TitleMul Jain Dharm ane Hal na Sampradayo
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha Mumbai
Publication Year1962
Total Pages534
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy