SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ २०3 હાલના સંપ્રદાયે પ્ર. ૧૪ વળી સર્વ સૂત્રો વિચ્છેદ ગયાનું જાહેર કરવા કરતાં સચેલત્વ સંબંધીને નવો ઉમેરેલો ભાગ અમને માન્ય નથી. એમ કહી દિગંબરોએ સૂત્રને કબૂલ રાખ્યા હતા તે પણ વિરોધ ઓછો થઈ જાત. કારણ કે તે વખતે પણ દિગબરોમાંય સૂત્રેના થોડા થોડા ભાગો મોજુદ હતા એમ દિગંબરોના પુસ્તકો ઉપરથી જ ઈતિહાસ સાબિત કરે છે. કાળ પ્રભાવે બન્યું તે ખરૂં. તર્ક ૪. ગણધર ચેલક હતા સંપ્રદાયવાદીઓ કહે છે કે ભગવાન મહાવીરના ગણધરે સચેલક હતા અને તેને માટે તેમણે સૂત્રોના ઉલ્લેખ આપેલ છે. જ્યારે ભગવાને સર્વ સાધુ માટે નગ્નત્વ પ્રરૂપ્યું છે ત્યારે ભગવાનના જ પટ્ટશિષ્ય એટલે કે ગણધર મહારાજાએ વસ્ત્રધારી હતા એમ માનવું એનો અર્થ એ થયો કે તેમને ભગવાનના વચનની વિરુદ્ધ વર્તનાર માનવા. આ તે એ મહાત્મા પુરુષના અવર્ણવાદ બેલવાના પાપમાં પડવા જેવું થાય છે. અલબત્ત જેઓ ભગવાનના વચનના સાચા અર્થ ગપવીને બેટા અર્થ સમજાવવામાં પાપ માનતા નથી અને તેથી ભગવાને સચેલકપણું પ્રરૂપ્યું હતું એવું પ્રતિપાદન કરે છે અને જેઓ ભગવાનના વચનના પોતાની મરજી માફક અર્થ કરવાને પિતાને જન્મસિધ્ધ હક માને છે તેઓ, ગણધરેને વધારી માનતા હોય તેને માટે કાંઈ કહેવાનું હેય જ નહિ. અહીં તે સર્વજ્ઞ ભગવાનના વચન ગેપવવામાં પાપ માનતા હોય તેને માટે જ વાત છે. આચારાંગ સૂત્રમાં ભગવાને સાધુ માટે નગ્નત્વ પ્રરૂપ્યું છે અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005219
Book TitleMul Jain Dharm ane Hal na Sampradayo
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha Mumbai
Publication Year1962
Total Pages534
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy