SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ મૂળ જેન ધર્મ અને આ દ્રૌપદીની વાત સિવાય બીજા કોઈ પણ પ્રસંગમાં મનુષ્ય ( પુરુષ કે સ્ત્રીએ) મૂતિ પૂજા કરી હતી એ સૂત્રમાં કોઈ દાખલ કોઈએ રજૂ કર્યો નથી. પ્રક્ષેપ પાડે કોઈપણ અંગ સૂત્ર હાલમાં મૂળ શુદ્ધ તે ઉપલબ્ધ જ નથી. જે છે તે પણ મૂળ સુત્રને ઘણે થોડે અંશ અને બાકીનું તે તેના ઉપરનું પૂર્વાચાર્યોનું વિવેચન જ છે. અને પાછળથી જ્યારે મૂર્તિપૂજા ચાલુ થઈ ગઈ હતી, લોકોનું મન મૂર્તિપૂજા તરફ, બાહ્યાચાર તરફ આડંબર તરફ વિશેષ આકર્ષાયું હતું, ત્યારે તે વલણને પુષ્ટ કરવા માટે પુર્વાચાર્યોએ સૂત્રમાં પૂજાની વાત ઉમેરી દીધી હોય તો તેમાં કશી અસંભવિતતા કે નવાઈ જેવું નથી. જીવાભિગમ સૂત્રમાં તથા રાજપક્ષીય સૂત્રમાં દેવલોકમાં દેવે મૂર્તિપૂજા કરે છે તેની વિધિ માટે “રાજપ્રશ્નીય સૂત્રમાંની સૂર્યાભદેવની પૂજાવિધિ પ્રમાણે એમ બતાવેલું છે. જીવાભિગમ અને રાજપક્ષીય એ બને સૂત્રે મૂર્તિપૂજા શરૂ થઈ ગયા પછી પણ ઘણું વખતે બનેલા છે. એટલે તે રાત્રે બનાવનાર આચાર્યોએ અહીં થતી હતી તે પ્રમાણેની વિધિ તે સૂત્રમાં દાખલ કરી દીધી હોય તે તેમાં કંઈ જ અસંભવિત કે નવાઈ જેવું નથી. છે. અને જ્ઞાતાસૂત્રમાં સુર્યાભદેવની પૂજાને ઉલ્લેખ જ બતાવે છે કે દ્રૌપદીની મૂર્તિપૂજાને આખે ય પાઠ પ્રક્ષિપ્ત છે, ન જ ઉમેરેલા છે. - અંગસવમાં એવું કેમ બની શકે? એવી કોઈને શંકા થાય તો તેનું સમાધાન એ છે કે હાલના ઉપલબ્ધ સત્રમાં ઘણે મોટે ભાગે તે મૂળસૂત્ર ઉપરના વિવરણ કે વિવેચનને જ છે. મૂળસવનો બહુ જ નજી ભાગ તેમાં હશે. અને તેથી જ સૂત્રોમાં ભગવાન મહાવીરના વખતમાં બનેલી વાત આવે છે કે જે ભગવાને પોતે કહેલી ન જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005219
Book TitleMul Jain Dharm ane Hal na Sampradayo
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha Mumbai
Publication Year1962
Total Pages534
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy