SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ થી છ. મૂળ જેન ધર્મ અને પ્રમાદથી આવવા જવામાં ઉપયોગ ન રહેવાથી જે કોઈ દોષ લાગે હોય તેની આલોયણુ કહી છે. - સાધુને આવતાં જતાં, પ્રતિક્રમણ કરતાં કે બીજું હરકોઈ કામ ન કરનાં આલયણ તથા ઈરિયાવહી પડિઝમવાની છે. તે પ્રમાદને આશ્રયીને છે પણ નહિ કે–તે શુભ કાર્યોને આશ્રયીને ! પ્રશ્ન વ્યાકરણ સૂત્ર પ્રશ્ન વ્યાકરણ સત્રમાં ત્રીજા સંવરબારમાં આ પ્રમાણે પાઠ છે– अत्यंत बाल दुबल गिलाण बुडढ खवके पत्ति आयरिय उवज्झाए सेहे साहम्भिए तपस्सीकुळगण વંદે શ ..... અર્થ—અત્યંત બાળ, દુર્બળ, ગ્લાન, વૃદ્ધ, માસક્ષમણ આદિ તપની પ્રવૃત્તિ કરનાર આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધમિક તપસ્વી મુળગણ, સંઘચૈત્ય એટલાની વૈયાય નિર્જરને માટે. અહીં સંઘયઢે શબ્દ છે તેમાં સ્થાનકવાસીઓ “સંઘ તથા જ્ઞાનાર્થીની” વૈયાવૃત્ય એમ અર્થ કરે છે. ત્યારે મૂર્તિપૂજક સંઘ તથા મૂર્તિની વૈયાવૃત્ય એમ અર્થ કરે છે. અથવા સંઘની મૂતિની વૈયાવૃત્ય એમ અર્થ કરે છે. સંઘ અને એય એ બે શબ્દોને ભેગા ગણવાથી સંઘની મૂર્તિ અથવા સંઘનું મંદિર એવો અર્થ થઈ શકે છે. મૂર્તિ મંદિર સંઘના જ હોય એટલે એમ પણ અર્થ થઈ શકે.. મૂતિની કોઈ આશાતના કરતા હોય તેને સાધુ અટકાવે તે સાધુએ મૂર્તિની વૈયાવૃત્ય કરી એમ ગણાય છે. સ્થાનકવાસી “જ્ઞાનાથ” એમ અર્થ કરે છે તો આચાર્ય, ઉપાધ્યાય, શિષ્ય, સાધમિક વગેરે પણ જ્ઞાનાથી તો હોય જ. તેમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005219
Book TitleMul Jain Dharm ane Hal na Sampradayo
Original Sutra AuthorN/A
AuthorNagindas Girdharlal Sheth
PublisherJain Siddhant Sabha Mumbai
Publication Year1962
Total Pages534
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy