________________
અંધકારના રંગો એક વખત લક્ષ્મીને મળવા ગયા. જેમનું વ્યક્તિત્વ સાર્વજનિક હોય છે તેમને મળવા સહુ કોઈ જાય છે. તે સહુ કોઈના હોય છે. તેને સૌની સાથે સંબંધ રાખવાનો હોય છે. લક્ષ્મીનું વ્યક્તિત્વ સાર્વજનિક છે. દુનિયામાં એક પણ પ્રાણી એવું નથી જેનો સંબંધ લક્ષ્મી સાથે ન હોય અથવા લક્ષ્મીનો તેની સાથે સંબંધ ન હોય. દુનિયાનું એક પણ પ્રાણી એવું નથી જે લક્ષ્મી વિના જીવી શકે, તેની છત્રછાયા વિના જીવી શકે. આથી લક્ષ્મીનું વ્યક્તિવ વ્યાપક, વિરાટ અને સાર્વજનિક છે.
અંધકારના રંગો લક્ષ્મી પાસે જઈને બોલ્યા: ‘દેવી! આપ અમને સાથ આપો. આપના સહકાર વિના, આપની છત્રછાયા વિના અમારો કોઈ ભાવ નથી પૂછતું. અમારો કયાંય આદરસત્કાર નથી થતો. આથી જ્યાં અમારું અસ્તિત્વ છે, અમારી પ્રતિષ્ઠા છે ત્યાં આપે અમને સહકાર આપવાનો છે. અને આપે અમારી સાથે રહેવાનું છે. અમે આપની છત્રછાયા ઇચ્છીએ છીએ.'
- લક્ષ્મીએ કહ્યું: “સારી વાત છે, આવીશ.” ત્યાં લક્ષ્મીના મનમાં પ્રશ્ન થયો. રંગોને તેણે પૂછયું: ‘પણ તમે મને એ તો કહો કે તમારી છત્રછાયામાં કોણ કોણ રહે છે? અને કયા માણસો તમને સારા લાગે છે?
અંધકારના રંગોએ જવાબમાં કહ્યું: જેઓ શુદ્ર હોય છે, ઓછા મનના હોય છે, સ્વાર્થી હોય છે, સમજ્યા-વિચાર્યા વિના કામ કરે છે, જે નૃશંસ હોય છે, ઇન્દ્રિયો પર જેમનો કાબૂ નથી હોતો, જેઓ આસક્ત હોય છે, ક્રોધ કરે છે, વાત વાતમાં દ્વેષ કરે છે, જે કૂડકપટથી ભરપૂર છે, પ્રમત્ત છે, એદી ને આળસુ છે, રસલોલુપ છે, જેનું આચરણ વક્ર છે, જેનો દૃષ્ટિકોણ મિથ્યા છે, કોઈની પણ વાત સાચી રીતે ગ્રહણ નથી કરતો ઊલટું કોઈ જો તેને કહે કે આજકાલ તારી તબિયત ઘણી સારી થતી જાય છે ત્યારે એ કહે છે કે એમાં તારે શું? તારા બાપના રોટલા ખાઉં છું? કોઈ કહે કે તું દૂબળો થતો જાય છે તો કહે છે, એમાં તું શું કરવા ચિંતા કરે છે? મારી જિંદગી છે, હું ગમે તેમ જીવું.– આમ કોઈ પણ વાતને જે સાચી રીતે લેતો નથી, પત્ની ખાવા માટે કહે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org