________________
૮૪ આભામંડળ
એક માણસે ગરીબીને કહ્યું : હું કમાવા માટે પરદેશ જઉં છું. પ્રવાસ કરવા માગું છું. તું અહીં રહીને મારા ઘરની સંભાળ રાખજે,
ગરીબી બોલી : એ કેવી રીતે બની શકે? આજ સુધી મેં તને સાથ આપ્યો છે. આજ હું તને એકલો પરદેશ કેવી રીતે જવા દઉં? તું વિદેશમાં રહે અને હું અહીં રહું? એ બની જ કેવી રીતે શકે? હું તારી કોઈ લેભાગુ નથી. હું તો તારી સાથે સર્વત્ર રહીશ.
ત્યારે એ માણસે કહ્યું: તો પછી મારે કર્યાય હવે વિદેશ જવાની જરૂર
નથી.
આવું જ જો ચાલે કે આપણે જે ટેવ છોડીએ, જેનો આપણે વ્યુત્સર્ગ કરીએ અને ઘરે પહોંચીએ ત્યારે એ જ ટેવ અને વ્યુત્સર્ગ પાછા મળે તો આપણી પ્રક્રિયા પૂરી નહીં થાય. આથી આપણે પ્રતિપક્ષી ભાવનાનું ચિત્તા નિર્માણ કરવું પડશે. આપણે જો ક્રોધને છોડવો છે તો તેના પ્રતિપક્ષ ‘ક્ષમા’ના ચિત્તનું આપણે નિર્માણ કરવું પડશે. ક્ષમાનું ચિત્ર એટલું સ્પષ્ટ અને પ્રત્યક્ષ હોવું જોઈએ કે પછી ક્રોધને આવવાની કોઈ તક જ ન મળે. ડોશીના જમાઈને આવવાનો અવસર ન રહે અને ગરીબીને સાથે ચાલવાનો કોઈ મોકો જ ન રહે.
રૂપાંતરણનું અંતિમ ચરણ છે, — પ્રતિપક્ષ ભાવનાનું નિર્માણ. ક્રોધને છોડવો હોય તો, તેને બદલવો હોય તો ઉપશમના ચિત્તનું નિર્માણ કરો. અભિમાનને છોડવું, બદલવું હોય તો મૃદુતાના ચિત્તનું નિર્માણ કરો. માયાને છોડવી – બદલવી હોય તો ઋજુતાંની પ્રતિમાનું નિર્માણ કરો. અને લોભથી છુટકારો મેળવવો હોય તો સંતોષની પ્રતિમા કંડારો.
આપણે પ્રેક્ષાધ્યાનના પ્રારંભમાં કાર્યોત્સર્ગ બાદ એક ધ્યેય નક્કી કરીએ છીએ કે હું મારા મનને નિર્મળ બનાવવા ચાહું છું અને મનને મલિન કરનાર ટેવોને તિલાંજલિ આપવા માગું છું. આ ધ્યેય નિર્ધાર કર્યા બાદ કાયોત્સર્ગ, પ્રેક્ષાધ્યાનમાં બેસીએ છીએ તો આપણી તમામ ઊર્જા એ ટેવોને બદલવામાં, મનની નિર્મળતાને વિકસિત કરવામાં આપોઆપ સક્રિય થઈ જાય છે અને એક દિવસ એવો આવે છે કે આ પ્રયોગમાંથી પસાર થનાર માણસ સાચે જ એક નવો જન્મ પામે છે અને એક નવો માણસ બની જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org