________________
સ્વભાવ-પરિવર્તનનું બીજું સોપાન ૮૩ શકાય. લૌકિક અને લોકોત્તર વચ્ચે આ જ ભેદરેખા હોઈ શકે કે જે લૌકિક ઉપાયોથી નથી મળતું તે લોકોત્તર ઉપાયોથી મળે છે. ભેદરેખાનું આદિ બિન્દુ આ રહેશે. આજના આ બૌદ્ધિક, તાર્કિક અને વૈજ્ઞાનિક યુગમાં આ પ્રશ્ન પર વધુ ઊંડાણથી ચિતન કરવું જરૂરી છે. આપણે ધર્મ અને અધ્યાત્મના લોકોત્તર સ્વરૂપનો અભ્યાસ કરીએ અને એ અભ્યાસ દ્વારા એવી ઉપલબ્ધિઓ મેળવીએ જે લૌકિક અભ્યાસથી સંભવ નથી.
આજ અપરાધોનાં ઘોડાપૂર જાણે આવી રહ્યાં છે. લૌકિક સાધનો હોવા છતાં પણ આજ અપરાધ વધી રહ્યા છે, ઓછા નથી થતા. હિંદુસ્તાન જેવા ગરીબ દેશમાં જો અપરાધ થાય તો માનવામાં આવે છે કે અહીં– હિંદુસ્તાનમાં ધનનો અભાવ છે, ગરીબી છે, એથી લોકો ગુના કરે છે. પરંતુ દુનિયાના સૌથી વધુ સમૃદ્ધ અને શ્રીમંત દેશમાં જો હિંદુસ્તાનમાં થતા ગુનાઓથીય હજારગણા વધુ ગુનાઓ થતા હોય તો શું માનવું? એમ તો નહિ જ કહી શકાય કે ત્યાં ગુનાઓ અભાવ કે ગરીબીના કારણે વધી રહ્યા છે. ત્યાં ગુનાઓનું મૂળ કારણ છે– અતિભાવ – અઢળક, બેસુમાર સમૃદ્ધિ ને વૈભવ. ત્યારે આપણે આ નિષ્કર્ષ પર આવીએ છીએ કે લૌકિક-ભૌતિક પદાર્થોના વિકાસથી ગુનાઓ ખત્મ નથી કરી શકાતા, એથી માણસને બદલી નથી શકાતો. આ બિન્દુ પર આવીને જ આપણને અધ્યાત્મની દિશામાં જવાની કે પરિવર્તન કરવાની જરૂર સમજાય છે. ત્યારે આપણને પ્રતીત થાય છે કે દુનિયામાં એક એવું પણ તત્ત્વ છે જે લૌકિક નથી, પદાર્થથી સંબદ્ધ નથી. એ તવ તો અલૌકિક અને પદાર્થોતીત છે. આ બિન્દુએ પહોંચીને જ આપણે ગુનાઓની સંખ્યા ઓછી કરી શકીએ, ખરાબ ટેવોને બદલી શકીએ અને વ્યક્તિત્વનું રૂપાંતરણ કરી શકીએ.
સ્વભાવ-પરિવર્તન બાદ એક વાત પર ખાસ ધ્યાન આપવાની જરૂર છે. વ્યત્સર્ગ થયા બાદ પ્રતિપક્ષી સ્વભાવનું ચિત્ત-નિર્માણ જરૂરી છે. આ ઘણું જ મહત્ત્વનું છે. દા. ત. હું ક્રોધને છોડવા માટે તેની પૂરી પ્રક્રિયામાંથી પસાર થાઉં છું અને વ્યુત્સર્ગ સુધી પહોંચું છું. ત્યાં પહોંચીને મારે એક કામ કરવાનું હોય છે કે જેનો હું વ્યુત્સર્ગ કરી રહ્યો છું તે ક્યાંક ફરી ન આવી જાય, મારાથી બંધાઈ ન જાય.
એક ડોશી હતી, તેને ચાર જમાઈ હતા. ચારે મરીને ભૂત થયા. એ વારાફરતી ડોશીના ઘરે આવવા લાગ્યા. આ એક ભૂતને ગંગામાં છોડી આવતી તો બીજું ભૂત ઘરે હાજર રહેતું. તેને ગંગામાં છોડી આવતી તો ત્રીજું ભૂત ઘરે હાજર રહેતું અને તેને પણ ગંગામાં નાખી આવતી તો ચોથું ભૂત ઘરે મળતું. ચોથાને ગંગામાં પધરાવી આવતી તો પુન: પહેલું ભૂત હાજર થઈ જતું. આ ક્રમ ચાલતો જ રહ્યો. ડોશી એ ભૂતોથી કદી મુક્ત ન થઈ શકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org