________________
૮૨ આભામંડળ
મારી પોતાની વાત કરું. એક દિવસ એવો હતો કે હું મારા સાથીઓથી ઘણો બધો પાછળ હતો. આચાર્ય તુલસીનું માર્ગદર્શન મળ્યું. તેમનો વરદ હસ્ત મને ઉપલબ્ધ થયો. ધીમે ધીમે જ્ઞાનના ક્ષેત્રમાં, વિદ્યા અને મેધાના ક્ષેત્રમાં, સ્વભાવ અને વ્યવહારના ક્ષેત્રમાં રૂપાંતર થવા લાગ્યું.
રૂપાંતરણની પ્રક્રિયાથી દરેક માણસ તળેટીથી ટોચ સુધી પહોંચી શકે છે. પ્રક્રિયા વિના આ સંભવ નથી. રસ્તા પર ચાલ્યા વિના, આરોહણ કર્યા વિના કોઈ શિખરને સ્પર્શી શકતું નથી. એ વિના જ્યાં છે ત્યાં જ રહેશે. પચાસ વર્ષ પહેલાં જ્યાં હતો ત્યાં એ જ હાલતમાં પચાસ વરસ પછી પણ રહેશે. કોઈ ફેરફાર નહિ થાય. કારણ તેને પ્રક્રિયા મળી નથી. અને પ્રક્રિયા મળી છે તો તેનો તે અભ્યાસ નથી કરતો. આવી હાલતમાં કોઈ પરિવર્તન નથી થઈ શકતું.
અધ્યાત્મનો સંપૂર્ણ માર્ગ રૂપાંતરણની પ્રક્રિયા છે. આ પ્રક્રિયાનો અભ્યાસકમ છે. જે માણસ આ અભ્યાસકમને અપનાવે છે તે બેશક પોતાની વેશ્યાઓને બદલી નાખે છે. એ માણસ કૃષણ, નીલ અને કાપોત લેશ્યાઓને અતિક્રમીને કે તેને બદલીને તેજસ, પદ્મ અને શુકલ વેશ્યાઓમાં ચાલ્યો જાય છે. ત્યાં જતાં સ્વભાવમાં આપોઆપ પરિવર્તન શરૂ થઈ જાય છે. – આ છે આપણા સ્વભાવપરિવર્તનની પ્રક્રિયા.
ફરી એક વાર હું વાત કહેવા માગું છું કે જે ધાર્મિક માણસ પોતાના સ્વભાવને બદલવા નથી ઇચ્છતો તે યથાર્થમાં ધાર્મિક નથી. જે ધર્મગુરુ પોતાના અનુયાયીઓના સ્વભાવને બદલવાનો પ્રયત્ન નથી કરતા તે પોતાના કર્તવ્ય પ્રત્યે જાગ્રત છે તેમ નહિ કહી શકાય. બંને તરફથી પ્રયત્ન થવો જોઈએ. અનુયાયી બદલાવા ઇચ્છે અને માર્ગદર્શક તેને બદલાવાની પ્રક્રિયા બતાવે, અભ્યાસકમ બતાવે. આવું થાય તો જ ધર્મની તેજસ્વિતા અને વાસ્તવિકતા પ્રગટ થશે અને ધર્મનું અલૌકિક રૂ૫, લોકોત્તર સ્વરૂપ આપણને પ્રાપ્ત થશે.
ધર્મ લૌકિક નથી, લોકોત્તર છે એ. લોકોત્તર એટલા માટે છે કે લૌકિક પદાર્થથી જે નથી મળતું તે ધર્મથી મળે છે. ધન લૌકિક પુરુષાર્થથી પ્રાપ્ત થાય છે. સત્તા લૌકિક પ્રયત્નોથી મળે છે.
દુનિયાના તમામ ઉપક્રમ લૌકિક છે. લૌકિક પ્રયત્નોથી અનેક ચીજવસ્તુઓ મળે છે. પરંતુ મનની શાંતિ, સ્વભાવનું પરિવર્તન, વ્યક્તિત્વનું રૂપાંતરણ, સહજ અને લૌકિક આનંદ, – આ બધું લૌકિક પ્રયત્નોથી નથી મળતું. એ બધું મળે છે ધર્મથી. અધ્યાત્મ એની ઉપલબ્ધિનું સાધન છે. આથી ધર્મ કે અધ્યાત્મ લોકોત્તર કે લોકોત્તમ તત્ત્વ છે. આપણે જ્યારે લોકોત્તમ તવ ભણી જઈએ, એ દિશામાં આગળ વધીએ અને આપણને જો એ મળે કે જે લૌકિક પ્રયત્નોથી મળે છે અને એ કંઈ પણ ન મળે કે જે લૌકિક પ્રયત્નોથી નથી મળતું, તો પછી લૌકિક ઉપાય અને લોકોત્તર ઉપાય વચ્ચે કોઈ જ ભેદરેખા નહિ દોરી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org