________________
સ્વભાવ-પરિવર્તનનું બીજું સોપાન ૮૧
જ્યાં સુધી ‘હું” અને ‘મારુ”નો સંબંધ રહે છે ત્યાં સુધી ન ટેવ બદલાય છે, ન સ્વભાવ. આપણે ‘હું” અને ‘મારું’-નો વ્યુત્સર્ગ -- ત્યાગ કરવો પડશે. હવે, હું આ ટેવને છોડું છું. તેની સાથે મારો કોઈ સંબંધ નથી.. એ ટેવ મારી નથી. હું એ ટેવનો નથી - આટલું થઈ જતાં જ સાધક બોલી ઊઠે છે કે ‘હું હવે એ ફ્રીથી નહિ કરું. એના માટે હવે હું સંપૂર્ણ સાવધાન અને જાગ્રત થાઉં છું.' સ્વભાવપરિવર્તનની, વ્યક્તિત્વના રૂપાંતરણની, ટેવ બદલવાની આ છે પૂરી પ્રક્રિયા.
આ એક સામાન્ય માન્યતા છે કે સ્વભાવ નથી બદલાતો, નથી બદલી શકાતો. પરંતુ આ બરાબર નથી. કોઈ માણસ બેત્રણ મહિના સુધી આ સૂત્રનો પ્રયોગ કરતો રહે તો નિશ્ચયપૂર્વક કહી શકાય કે ટેવને બદલાવું જ પડે. એ ટેવ પહેલાંની જેમ રહી જ ન શકે. જે સત્ય છે એ સત્યને આપણે કેવી રીતે ટાળી શકીએ ? નિશ્ચયની ભાષામાં એટલા માટે કહી રહ્યો છું કે આ પ્રક્રિયાના પરિણામમાં કોઈ જ શંકા નથી, જે શાશ્વત સત્ય છે ત્યાં સંદિગ્ધ ભાષા બોલવાની જરૂર નથી. આથી જ હું નિશ્ચયપૂર્વક કહું છું કે ટેવ બદલાય છે. આ ધ્રુવ સત્ય છે. જે કોઈ પ્રયોગ કરશે, જે કોઈ આ પ્રક્રિયામાંથી પસાર થશે તે પોતાની ટેવોને જરૂર બદલશે. હા, સમયનું અંતર હોઈ શકે છે, સંકલ્પશક્તિનું અંતર હોઈ શકે છે, નિશ્ચય અને આંતરિક શક્તિઓની શ્રાદ્ધાનું અંતર હોઈ શકે છે પરંતુ નિષ્પત્તિનું— પરિણામનું અંતર નથી હોતું. દૃઢ નિશ્ચયથી પ્રક્રિયાનો અભ્યાસ કરવાથી સ્વભાવ આપોઆપ બદલાઈ જાય છે.
આપણે જે સ્વભાવ-પરિવર્તનની વાત ન માનીએ તો મિથ્યાદૃષ્ટિ કયારેય સમ્યગ્દષ્ટિ ન બની શકે, સમ્યગ્દષ્ટિ કયારેય વ્રતી ન થઈ શકે, વ્રતી કયારેય મહાવ્રતી ન બની શકે. મહાવ્રતી કદી અપ્રમત્ત ન બની શકે અને અપ્રમત્ત કયારેય પણ ન વીતરાગ બની શકે, ન કેવલી. જે ધર્મ સ્વભાવ-પરિવર્તનની વાત નથી માનતો તે ધર્મ પોતાના અનુયાયીઓને અંધારામાં રાખે છે, તે તેમનો વિકાસ નથી કરી શકતો. એક યોગ્ય શિક્ષક પોતાના શિષ્યોને બદલવામાં સક્ષમ હોય છે, એ શિષ્યોને બદલે છે. તેમના જીવનનું તે રૂપાંતર કરી દે છે. તે
આઈન્સ્ટાઈન શાળામાં ભણતા હતા. અધ્યાપકે ગણિતનો પ્રશ્ન પૂછયો. આઈન્સ્ટાઈન યોગ્ય જવાબ ન આપી શકયા. અધ્યાપકે કહ્યું : ‘આઈન્સ્ટાઈન! તું હોઠ છે અને હોઠ જ રહેવાનો. તું કયારેય જીવનમાં આગળ નહિ વધી શકે.' સમય બદલાયો અને એ સવાર ઊગી કે આઇન્સ્ટાઈન અને ગણિત પર્યાયવાચી શબ્દ બની ગયા.
ધ્રમાં એક ગુરુ પોતાના પાંચસો શિષ્યોને ભણાવી રહ્યા હતા. તેમના હૈયે ભાવના જાગી. તેમણે એક પ્રયોગ શરૂ કર્યો. અને પાંચસોએ પાંચસો શિષ્ય સ્મૃતિ, બુદ્ધિ અને મેધામાં આગળ વધી ગયા.
આદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org