SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ આવભાવ-પરિવર્તનનું બીજું સોપાન ૭૯ શરણમાં જવાનું છે. આ શરણ ઉપલબ્ધ થાય છે ત્યારે તૈજસ-શક્તિનો વિકાસ થાય છે. એ સમયે વિદ્યુતના એવા તીવ્ર તરંગો ઉત્પન્ન થાય છે કે રૂપાંતરણનો ક્રમ શરૂ થઈ જાય છે. એક સૂફી સંત હતા. નામ તેમનું સંત રૈયાદ. ઘણા મોટા સાધક હતા. એ. જંગલમાં જઈ રહ્યા હતા. સાથે શિષ્ય પણ હતો. સમય થતાં નમાજ કરવા, બેઠા. આસન પાથર્યું અને તેના પર બેસી ગયા. શિષ્ય પણ નમાજ કરવા બેઠો. ત્યાં સિંહની ગર્જના સંભળાઈ. શિષ્ય ડર્યો. આસન સમેટી લઈ તે તરત જ એક ઝાડ પર ચડી ગયો. પરંતુ સંત રૈયાદ અવિચળ ભાવે એમ જ બેસી રહ્યા અને નમાજ ભણતા રહ્યા. સિંહ ત્યાં આવ્યો. આસપાસ સૂંઘીને ચાલ્યો ગયો. નમાજ પૂરી થઈ. શિષ્ય ઝાડ પરથી ઊતરીને નીચે આવ્યો. ગુરુ-શિષ્ય બંને આગળ ચાલ્યા. રસ્તામાં સામેથી એક જંગલી કૂતરો આવ્યો. કૂતરો સામે આવતાં જ સંત રૈયાદે પોતાનો ડંડો ઊંચો કર્યો અને સામનો કરવાની મુદ્રામાં ઊભા રહી ગયા. શિષ્ય જોતો જ રહી ગયો. તેણે પૂછયું : ગુરુદેવ! આ શું? સિંહ આવ્યો ત્યારે તો તમે અવિચળભાવે બેસી રહ્યા હતા અને આ એક કૂતરો સામે આવ્યો તો તેનો સામનો કરવા તમે તૈયાર થઈ ગયા? આ શું રહસ્ય છે? - સંત રૈયાદે કહ્યું: “વત્સ! એ સમયે ખુદા મારી સાથે હતા અને અત્યારે તું મારી સાથે છે. એ સમયે હું પરમાત્માના શરણમાં હતો. ત્યારે ખુદા મારી રક્ષા કરતા હતા. અત્યારે તું મારી સાથે છે.” સાચે જ જ્યારે આપણે અનંતના શરણમાં જઈએ છીએ, અનંત ચતુષ્ટયીના શરણમાં જઈએ છીએ ત્યારે અનંત-ચતુષ્ટયીના સ્પંદનથી તૈજસ શરીર અને ચેતનાના કણેકણ તાદાભ્ય સાધે છે, તદ્રુપતા અનુભવે છે. એ સમયે આપણી તૈજસની ધારાઓ એટલી બધી ફૂટી પડે છે કે પછી કોઈનો ભય નથી રહેતો. શરણમાં જવું –એ સ્વભાવ-પરિવર્તનનું પાંચમું સૂત્ર છે. આપણે જ્યારે અનંત ચતુષ્ટયીના શરણમાં જઈએ છીએ ત્યારે આપણી સમક્ષ અનંત-જ્ઞાન દોડે છે. અનંત-દર્શનની ધારાઓ દોડે છે. અનંત-આનંદની ધારાઓ વિકસે છે અને અનંત-શક્તિનાં બીજ ફૂટવા લાગે છે. આમ થતાં રૂપાંતરણ – પરિવર્તન થાય કેમ નહિ? થાય જ. એ ક્ષણોમાં જે વિદ્યમાન હોય છે તેમાં તેવું પરિણમન થવા લાગે છે. ભીતરી પરિણમન પ્રારંભાય છે. એક બિંદુ એવું આવે છે કે પરિણમન થતાં થતાં તે સ્થૂલ રૂપ લઈ લે છે, સઘન રૂપ લઈ લે છે અને માણસ સાચે જ બદલાઈ જાય છે. સ્વભાવ-પરિવર્તનનું છઠ્ઠું સૂત્ર છે: ભાવના. આ છે, આત્મ-સૂચન – સેફ સજેશન. આપણે ખુદ પોતાને સૂચનાઓ આપીએ. આપણે જ્યારે ગહન ધ્યાનની સ્થિતિમાં બેઠા હોઈએ ત્યારે જાતને સૂચના આપીએ કે હું ક્રોધને છોડવા ચાહું છું. હું ક્રોધથી મુક્ત થઈ રહ્યો છું. હું કોઈ નથી ઇચ્છતો. ક્રોધના પરમાણુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy