SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ આભામંડળ દ્વારા જ જીવન-તંત્રનું સમગ્ર પરિવર્તન થાય છે. વેશ્યા પાસે વિદ્યુતની આ ઘણી મોટી શક્તિ છે. તૈજસ-શરીર અને વેશ્યાની ચેતના –આ બધે હાથમાં હાથ મેળવીને ચાલે છે. બંને સહકારી છે. બંને સાથે મળીને કામ કરે છે. આથી પરિવર્તન માટે લેગ્યા પર ધ્યાન દેવાનું છે. તેમાં સંમોહનનો પણ ઘણો મોટો હાથ છે. આનું કારણ સ્પષ્ટ છે કે આપણે ચેતનાના જે સ્તરે પ્રભાવિત થઈએ છીએ તે ચેતના છે, વેશ્યા. સંમોહનની અસર અહીં થાય છે. આથી ભાવનાનું મહત્ત્વ છે. ભાવના, સંમોહન, મંત્ર - આ બધાં એક કક્ષામાં આવે છે. એક જ વાતનું વારંવાર ઉચ્ચારણ કરવું, વારંવાર દોહરાવતાં એ વાત ભીતર સુધી પહોંચી જાય છે. અને મંત્ર શું છે? આ જ છે મંત્ર. આપણે મંત્રનો જાપ કરીએ છીએ, મંત્રની આરાધના કરીએ છીએ, અને મંત્ર દ્વારા આપણો પ્રાણપ્રવાહ, આપણી ઊર્જા ભીતરની તૈજસ-ઊર્જા સુધી પહોંચી જાય છે. જ્યાં સુધી ત્યાં એ નથી પહોંચતી ત્યાં સુધી મંત્ર જાગ્રત નથી બનતો. મંત્ર જાગ્રત થયા વિના, મંત્રનું ચૈતન્ય થયા વિના મંત્ર કશું જ કામ નથી આપતો. એ જ મંત્ર ફળ આપે છે જે જાગ્રત છે, ચેતનામય છે. મંત્ર-જાગૃતિનો અર્થ છે, ભીતરની તૈજસશક્તિથી બહારની પ્રાણ-ઊર્જને જોડી દેવી, તે બેનો એક સંબંધ સ્થાપિત કરવો. ભાવના, આત્મ-સંશન, જાપ અને મંત્ર–આ બધાં પરિવર્તનનાં સાધન છે. હવે આપણે સમજવાનું છે કે ભાવનાનો પ્રયોગ કેવી રીતે કરવો? ભાવનાના પ્રયોગની વિધિ સમજ્યા વિના આપણે પરિવર્તન નહીં કરી શકીએ. સિદ્ધાંતરૂપે આપણે આ સ્વીકારી લીધું કે ભાવના દ્વારા વ્યક્તિત્વનું પરિવર્તન થઈ શકે છે, થાય છે; પણ પ્રશ્ન એ છે કે તે થાય છે કેવી રીતે? ભાવનાનો પ્રયોગ આપણે કેવી રીતે કરીએ? આ પ્રક્રિયાને જાણી લેવી જરૂરી છે. આ પ્રક્રિયાનું પ્રથમ સૂત્ર છે: કાયોત્સર્ગ. ભાવનાનો પ્રયોગ કરવો છે તો પ્રથમ કાયોત્સર્ગ કરવો પડશે. કાર્યોત્સર્ગ નથી, શરીરની પ્રવૃત્તિઓનું શિથિલીકરણ નથી, સ્નાયુઓની પ્રવૃત્તિઓનું શિથિલીકરણ નથી તો વાત આગળ નહીં વધે. કારણ આગળ અવરોધ છે. સ્નાયુઓ અવરોધ પેદા કરે છે. આગળ જવાનો રસ્તો સાફ નથી. આથી સર્વ પ્રથમ રસ્તાના બધા અવરોધો દૂર કરવા પડશે. કાયોત્સર્ગ તેનું સાધન છે. તેના દ્વારા આપણે સમીકરણ કરીએ છીએ. જૈન યોગપરંપરામાં સૌથી વધુ ભાર કાયોત્સર્ગ પર મૂક્યો છે. કાયોસર્ગ આપણા જીવનનું અવિભાજ્ય અંગ છે. મુનિ સ્થાનથી બહાર જાય, એકાદ માઈલ દૂર કે વધુ દૂર જાય – આવે તો સૌથી પ્રથમ કાયોત્સર્ગ કરવાનો હોય છે. પછી જ મુનિ બીજાં કામ કરી શકે છે. ભિક્ષા-ગોચરી માટે, શૌચ માટે કે બીજા કોઈ કારણસર બહાર જાય તો આવીને પ્રથમ કાયોત્સર્ગ કરે છે. કાયોત્સર્ગ કરવો અનિવાર્ય છે. સ્વાધ્યાય કરે તો સ્વાધ્યાય પહેલાં કાયોત્સર્ગ કરવાનો. ધ્યાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy