________________
વૃત્તિઓના રૂપાંતરણની પ્રક્રિયા ૭૧ તું તો બિલકુલ તંદુરસ્ત છે. તારી નાડી બરાબર છે. તાવ જરા પણ નથી. જે ડૉકટરે તને તાવ છે એવું કહ્યું તે પાગલ હોવો જોઈએ. તને તાવ-બાવ કંઈ નથી. જરાય ચિંતા ન કર તું. મનમાંથી તાવની વાત તું કાઢી નાખી થોડાક કલાક પછી તેનું પરીક્ષણ કર્યું તો તાવ ઊતરી ગયો હતો.
બીમારી વિના જ તાવ આવે છે. તાવ ઊતરી જાય છે. કંઈ પણ બન્યા વિના ગુસ્સો ચડે છે, ગુસ્સો ઊતરી જાય છે. સ્થાનાંગસૂઝમાં ક્રોધની ઉત્પત્તિનાં કેટલાંક કારણ બતાવ્યાં છે. તેમાં એક છે, પર-હેતુક હોધ અને બીજું છે, આત્મ-હેતુક ક્રોધ. એક-બીજાના નિમિત્તે ચડતો ક્રોધ. બીજું પોતાના ઉપર જ ચડતો ક્રોધ. મનમાં એવા પ્રકારનો ભાવ ઉત્પન્ન થયો કે ક્રોધ ફાટી નીકળ્યો, ક્રોધ થઈ ગયો. બહારનું કોઈ જ કારણ નથી. આ પોતાના નિમિત્તથી આવતો ક્રોધ છે. એ જ પ્રમાણે પોતાના નિમિત્તથી, બહારના કોઈ પણ નિમિત્ત વિના અભિમાન પણ આવે છે, કપટ અને ભય પણ આવે છે. ઘણા પણ આવે છે.
આપોઆપ થતા ભયથી આપણે ખૂબ પરિચિત છીએ. તમે બેઠા છો. વિચારોનો પ્રવાહ ચાલે છે. ત્યાં અચાનક વિચાર આવે છે અને માણસ એકદમ ભયંકરરૂપથી ડરવા લાગે છે. શારીરિક દૃષ્ટિએ તે પ્રતાડિત-સંતાપિત થતો હોય એમ લાગે છે. આપણા ભીતરી જગતમાં બનતી ઘટનાઓ ઘણી વિચિત્ર છે. આપણે માત્ર બાહ્ય નિમિત્તોથી જ નથી હોતા. બહારના જંતુ આવે છે અને આપણે બીમાર પડી જઈએ છીએ પણ એવું જ નથી. બહારના જંતુઓ વિના પણ આપણે બીમાર પડી જઈએ છીએ. આપણી ભીતર પણ બીમારીનાં અનેક નિમિત્ત છે. હોમિયોપથીના પ્રવર્તક ડૉ. હનીમેને કહ્યું હતું, “બીમારીની જડમાં કીટાણુ નથી. પણ તેની આપણામાં ઘણે ઊંડે છે? વાસ્તવમાં બીમારીનાં મૂળ લેગ્યાઓમાં છે. વેશ્યાઓ શુદ્ધ રહેશે ત્યાં સુધી માણસ કદી બીમાર નહીં પડે. વેશ્યાઓ જ્યારે જ્યારે વિકૃત બને છે ત્યારે ત્યારે માણસ બીમાર પડી જાય છે. આ શરીરમાં તો એ બીમારીની માત્ર અભિવ્યક્તિ થાય છે. બહારના કીટાણુઓ ન મળે તો પણ બીમારી વ્યક્ત થઈ જાય છે..
સાધનામાં ભાવનાનું ઘણું મહત્ત્વ છે. ખરાબ ટેવોની જડોને ઉખેડી ફેંકી દેવામાં તે એક સબળ માધ્યમ છે. તેનાથી ખરાબ ટેવો મટે છે અને નવી ટેવોનું નિર્માણ થાય છે. ભાવના બંને કામ કરે છે. એ નાશ પણ કરે છે અને નિર્માણ પણ. ખરાબ ટેવોને બદલવાનું અને નવી ટેવોના નિર્માણનું બિન્દુ છે – શ્યા-તંત્ર, ભાવ-તંત્ર. ત્યાં રૂપાંતરણ થાય છે. કારણ લેગ્યાની પાસે તેજસ શક્તિ છે, વિદ્યુતની શકિત છે. આજનો તમામ વૈજ્ઞાનિક ચમત્કાર વિદ્યુત પર આધારિત છે. આજના યુગમાં જે વિદ્યુત સમાપ્ત થઈ જાયખત્મ થઈ જાય તો સારુંય વિજ્ઞાન ધૂળધાણી થઈ જાય. વિજ્ઞાનનું પોતાનું કોઈ સ્વતંત્ર જીવન નથી. તૈજસ-શરીરમાં જે ક્ષમતા છે, જે વિદ્યુત છે તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org