________________
૬૮ આભામંડળ
તેજો-લેશ્યાની યાત્રા શરૂ થાય છે ત્યારે અધ્યાત્મનાં સ્પંદન જાગે છે. અધ્યાત્મનાં સ્પંદન જાગે છે ત્યારે પરિવર્તન આપોઆપ શરૂ થાય છે. એવી રીતે—એવાં સુખદ સ્પંદન જાગે છે કે જેનો જીવનમાં અગાઉ કયારેય અનુભવ ન કર્યો હોય. ત્યારે ઘણી મોટી ભ્રમણા ભાંગે છે. માણસે માની લીધું હોય છે કે સુખ પદાર્થથી જ મળે છે. પરંતુ તેજોલેશ્યાનાં સ્પંદનો જેવાં જાગે છે, જેવું દર્શન-કેન્દ્ર પર ધ્યાન થાય છે અને એ ચમકંતાં સ્પંદન જાગે છે ત્યારે. સુખનો જે અનુભવ થાય છે તે અપૂર્વ હોય છે. માણસનો ભ્રમ ભાંગી જાય છે. ત્યારે એ વિચારે છે કે મેં તો માન્યું હતું કે સુખ તો પદાર્થથી જ મળે છે. પરંતુ આજ આ સ્પષ્ટ અનુભવ થયો કે દર્શન-કેન્દ્ર જાગવાથી જે સુખ અનુભવાય છે તેવું સુખ જીવનમાં બીજા કોઈ પણ પદાર્થથી નથી મળતું. બધી જ ધારણાઓ – માન્યતાઓ બદલાઈ જાય છે, આખી યાત્રા બદલાઈ જાય છે અને સ્વભાવના પરિવર્તનનો પ્રારંભ થઈ જાય છે.
માનું છું કે ધર્મના આચરણથી માણસનો જો સ્વભાવ ન બદલાય, ખરાબ ટેવો ન બદલાય તો ધર્મનું આચરણ વ્યર્થ છે. એવા ધર્મનું આચરણ શા માટે કરવું જોઈએ? શું પ્રયોજન છે તો તેનું? આપણી સામે કોઈ પ્રયોજન તો હોવું જોઈએ. અધર્મને છોડીએ, ઘણી બધી વાતોનું નિયંત્રણ કરીએ અને ઉપલબ્ધ કશું જ ન થાય તો બંને બાજુથી ગયા. ધોબીના કૂતરા જેવો ઘાટ . થાય. ન ઘરનો રહે, ન ઘાટનો.-‘નો હવાએ નો પારાએ.”
વ્યક્તિત્વને રૂપાંતરિત કરવાની સૌથી મોટી પ્રક્રિયા છે પ્રેક્ષા-ધ્યાન. પ્રેક્ષા-ધ્યાન દ્વારા આપણું સંપૂર્ણ વ્યક્તિત્વ બદલાઈ જાય છે. અજાણતાં જ બદલાઈ જાય છે. આપણે માત્ર એક જ લક્ષ્ય ધારીએ છીએ. એક બેય નક્કી કરીએ છીએ કે મનને નિર્મળ કરવું છે. મનની મલિનતાથી થતી ખરાબ ટેવોને છોડવી છે–આ ધ્યેય ધારીને આપણે પ્રેક્ષા-ધ્યાનમાં બેસીએ છીએ. શરીરની પ્રેક્ષા કરીએ છીએ. દીર્ધ-શ્વાસની પ્રેક્ષા કરીએ છીએ, ચૈતન્ય-કેન્દ્રોની પ્રેક્ષા કરીએ છીએ. અને આપણને ખબર સુધ્ધાંય નથી પડતી ને ધીમે ધીમે રૂપાંતરણ થવા લાગે છે. આપોઆપ પરિવર્તન શરૂ થઈ જાય છે. ખબર કરવી જ્ઞાનની વાત છે. જ્ઞાનથી ખબર કરી શકાય છે. જ્ઞાન ન હોય તો ખબર નથી કરી શકાતી. ખબર પડે કે ન પડે પણ બદલવાનું શરૂ થઈ જાય છે. જ્ઞાન હોવું એક વાત છે અને બદલવું એ બીજી વાત.
પ્રેક્ષા-ધ્યાનની સાધના કરનારાઓના જીવનમાં કલ્પનાતીત રૂપાંતરણ થયું છે. અમને પણ જાણ ન થઈ કે રૂપાંતરણ કેમ થયું અને સાધકને પણ જાણ ન થઈ કે એ કેમ બન્યું.
રૂસી વિજ્ઞાનીઓએ એવાં સૂક્ષ્મ યંત્રો બનાવ્યાં છે કે જેનાથી આપણા જૈવિક સક્રિય બિન્દુઓની જાણ કરી શકાય છે. ત્યાં સોય લગાડવામાં આવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org