________________
વૃત્તિઓના રૂપાંતરણની પ્રક્રિયા ૬૭ તર્કશાસ્ત્રનો એક નિયમ છે કે લિંગ દ્વારા લિંગીને જાણી શકાય છે. સાધન દ્વારા સાધ્યને ઓળખી શકાય છે. ધુમાડાને જોઈને માણસ આગનું અનુમાન કરે છે. તે જ પ્રમાણે ઉપર્યુક્ત લક્ષણોને જોઈને કહી શકાય છે કે અમુક માણસના જીવનમાં ધર્મ સિદ્ધ થયો છે.
જે માણસમાં ઉદારતા છે, દાક્ષિણ્ય છે, દરેક વાતને અનુકૂળતાથી. સ્વીકારે છે, પાપજુગુપ્સા છે–ખરાબ ટેવો પ્રત્યે ધૃણા છે, બીજાની ખરાબ ટેવો પ્રત્યે જ ધૃણા નહીં પરંતુ પોતાની ખરાબ ટેવો પ્રત્યે પણ ધૃણા છે, તેનું જ્ઞાન એટલું નિર્મળ હોય છે કે તેની દરેક વાત સત્યપૂર્ણ જ હોય છે, તેના મેંએથી કદી જૂઠી-ખોટી વાત નથી નીકળતી. એ જે વિચારે છે, જે ભાવ કરે છે તેમાં જ્ઞાનનું દરેક કિરણ, પ્રત્યેક પ્રવાહ નિર્મળતાની સાથે વહે છે. – આ લક્ષણો બતાવે છે કે માણસમાં ધર્મ સિદ્ધ થઈ ગયો છે. પાંચમું લક્ષણ છે કે ધાર્મિક માણસ લોકપ્રિય હોય છે. એ હોય જ એવું જરૂરી નથી. પણ ચાર લક્ષણ હોવાં તો જરૂરી જ છે.
લેશ્યાના પરિવર્તન દ્વારા જ જીવનમાં ધર્મ સિદ્ધ થઈ શકે છે. જ્યારે કૃષણ, નીલ અને કાપોત–આ ત્રણેય વેશ્યાઓ બદલાય છે અને તેજો, પદ્મ અને શુકલ – આ ત્રણે વેશ્યાઓ અવતરિત થાય છે ત્યારે પરિવર્તન થાય છે. લેશ્યાઓને બદલ્યા વિના જીવન નથી બદલી શકાતું. વેશ્યાઓને માત્ર જાણવાની જ નથી. તે કોરું તત્ત્વજ્ઞાન નથી. વ્યક્તિત્વને બદલવાનાં એ સૂત્ર છે. આ સૂત્ર ગોખવાનાં નથી. અભ્યાસનાં છે એ સૂત્ર.
માકર્સે યોગ્ય જ કહ્યું હતું કે દર્શન કોરું જ્ઞાન આપે છે, જીવનને તે બદલતું નથી, રૂપાંતરિત નથી કરતું. આ જ ધર્મનું રૂપ પણ લગભગ આવું જ બની ગયું છે. માણસ જીવનભર ધર્મનું આચરણ કરે છે પરંતુ મરણ સમયે કસોટી કરવામાં આવે તો પરિણામ શૂન્ય જણાય છે. જીવનમાં કોઈ જ પરિવર્તન થયું નથી. આવી દશામાં જે વિચાર બને છે એ અસ્વાભાવિક નથી લાગતા કે ધર્મ માત્ર પ્રિયતાની અનુભૂતિ આપે છે, લુખું જ્ઞાન આપે છે. માણસને તે બદલતો નથી.
પરંતુ આ સચ્ચાઈ ધર્મના આવરણની સચ્ચાઈ છે, ધર્મની સચ્ચાઈ નથી. આ માત્ર ધર્મની ચામડીની સચ્ચાઈ છે, ધર્મના આત્માની સચ્ચાઈ નથી. ધર્મની સચ્ચાઈ –- ધર્મનું સત્ય એ છે કે ધાર્મિક હશે તે નિ:શંક બદલાશે જ. એવું બની જ ન શકે કે માણસ ધાર્મિક હોય, ધર્મનું આચરણ કરતો હોય અને પહેલાંના કરતાં તે કંઈ બદલાયો ન હોય. ધાર્મિક થવાનો અર્થ જ આ છે કે પરિવર્તનની યાત્રા પર ચાલી નીકળવું, રૂપાંતરણની દિશામાં પ્રયાણ કરવું. અહીંથી તેજ-લેશ્યાની યાત્રા શરૂ થાય છે. અધ્યાત્મની યાત્રાનો અહીંથી આરંભ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org