________________
સાત ..
માણસ ધર્મનું શરણ લેવા ઇચ્છે છે. ધર્મમાં શરણ આપવાની ક્ષમતા છે. બધો દીવો પઇઠ્ઠાણ.'
ધર્મ એક દીપક છે. પ્રકાશ-પુંજ છે એ. તે એક પ્રતિષ્ઠા છે, આધાર છે, ગતિ છે. શરણ આપનાર બીજા પણ અનેક હોઈ શકે છે પરંતુ ધર્મ ઉત્તમ શરણ છે. તે આપણને બચાવી લે છે. માણસ અધર્મથી બચવા ચાહે છે અને ધર્મના શરણે જવા માગે છે. તેનો હેતુ છે–રૂપાંતરણ, બદલવું. અધર્મના જીવનમાં જે ઉપલબ્ધ નથી થતું, તેને મેળવવા માટે અને જે મળે છે તેને છોડવા માટે માણસ ધર્મના શરણે જાય છે. ખરાબ વિચાર, ખરાબ ટેવો, ભય, ધૃણા, ઈર્ષા, ચિંતા, વ્યગ્રતા અને માનસિક તાણ –આ બધું અધર્મના જીવનમાં --અધમી જીવન જીવવાથી મળે છે. માણસ તેનાથી છુટકારો ઝંખે છે. તેને મનની શાંતિ જોઈએ છે. તે તાણમુક્તિ, પ્રેમ, મૈત્રી, સૌની સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર, ઉદારતા અને સૌહાર્દ મેળવવા ઈચ્છે છે, આથી તે ધર્મના શરણે જાય છે. | ધર્મનું શરણ મળે અને માણસ બદલાય નહીં? આવો એક પ્રશ્ન આપણી પાસે જવાબ માગે છે. ધર્મનું શરણ મળે અને કંઈ પણ ન બદલાય તો માનવું કયાંક કશી ઊણપ છે. કાં તો ધર્મ નથી મળ્યો, કાં તો માણસ ધર્મને ઉપલબ્ધ નથી થયો. ક્યાંક ને ક્યાંક ત્રુટિ જરૂર છે. આ પ્રશ્ન પર આપણે વિચાર કરીએ. આ એ પ્રશ્ન છે જ્યાં માણસ બદલાઈ શકે છે. જેના જીવનમાં ધર્મ સિદ્ધ થઈ જાય છે તેનામાં ધર્મનાં લક્ષણ પ્રગટ થવા લાગે છે, તેનામાં તેજો-લેશ્યા, પદ્મ-લેશ્યા અને શુકલ-લેશ્યાનાં લક્ષણ પ્રકટ થવા લાગે છે. ધર્મની યાત્રા શરૂ થાય છે અને આપણા જીવનમાં લેશ્યાઓના ભાવ, વિચાર અને વ્યવહાર સાકાર થવા લાગે છે.
“ઔદાર્ય દાક્ષિણ્ય પાપજુગુપ્સા ચ નિર્મલો બોધ: લિંગાનિ ધર્મસિદ્ધ પ્રાણ જનપ્રિયવં ચ.” જેના જીવનમાં ધર્મ સિદ્ધ થાય છે, તેનામાં આ લક્ષણ પ્રકટ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org