________________
૬૪ આભામંડળ
રહી ગયો. પાંડવોને રહસ્ય મળી ગયું. દુર્યોધનની કટિ ઉપર પ્રહાર કરાયો અને તત્ક્ષણ જ તે ભોંય પર ઢળી પડયો.
તૈજસ-શરીરના વિકાસની સાથે નીકળતાં કિરણોના કારણે, દર્શન-શક્તિના કારણે શરીરનો ક્યે કણ-આણુએ અણુ વજ્રમય બની જાય છે. જ્યારે નિર્મળ મન, નિર્મળ ચેતના અને તૈજસ-શરીરની વિકસિત શક્તિની સાથે શરીરના રોમે રોમને જોવામાં આવે છે ત્યારે શરીરનું આવરણ તૂટે છે અને શરીરનાં સૂતેલાં ચૈતન્ય-કેન્દ્ર જાગે છે. તેની મૂર્છા તૂટે છે અને શક્તિનું વર્તુળ બની જાય છે.
સ્વભાવને બદલવા માટે, વ્યક્તિત્વનું રૂપાંતર કરવા માટે બે સાધન છે: જ્ઞાન અને દર્શન. માત્ર જાણવું અને જોવું, તેનાથી બીજું કોઈ મોટું સાધન નથી. સાધન તે હોય છે, જે ઉપાદાન હોય છે. માટીના ઘડાનું સાધન માટી જ હોઈ શકે. માટી ન હોય તો, કુંભાર ગમે તેટલો કુશળ હોય, ચાક હોય અને બીજાં પણ સારાં સાધન હોય, માટીનો ઘડો ન બની શકે, ઉપાદાન જોઈએ. ઉપાદાન વિના કાર્ય થતું નથી.
મૂળ ઉપાદાન છે, જાણવું અને જોવું. આત્માનો મૂળ સ્વભાવ છે, જાણવું અને જોવું. આપણે જાગી જઈએ છીએ, માત્ર જોવા અને જાણવાની શક્તિનો ઉપયોગ કરવા લાગીએ છીએ, અને જ્યારે આપણું ચિત્ત કે મન માત્ર જોવા અને જાણવાની શક્તિનો સાથ લઈને ગ્રન્થિ-તંત્રને જાણે છે, જુએ છે ત્યારે ગ્રન્થિ-તંત્ર શુદ્ધ થવા લાગે છે. આ નિવારણ મૂર્છાશૂન્ય અને પ્રતિરોધની શક્તિથી શૂન્ય થવા લાગે છે. ગ્રન્થિ-તંત્ર શરૂ થાય છે ત્યારે લેશ્યાતંત્ર આપોઆપ શુદ્ધ થવા લાગે છે. કારણ લેશ્યાતંત્ર પાસે જે કંઈ જાય છે તે ગ્રન્થિ-તંત્રના માધ્યમથી જ જાય છે.
ચક્ર નામની પણ સાર્થકતા છે. ચક્ર એટલા માટે કે તે ધૂમતું રહે છે. રેંટની માળા છે. એ નીચે કૂવામાં જાય છે. ત્યાંથી પાણી ભરીને લાવે છે. બહાર આવીને ખાલી થઈ જાય છે અને ફરી ભીતર જઈને ભરે છે. આ ચક્ર ચાલતું જ રહે છે. ભીતરથી જે પરિસાવ આવે છે તે સ્ત્રાવને ગ્રન્થિઓ બહાર લાવે છે અને શરીરની ગ્રન્થિઓ પોતાના માધ્યમથી બહારની વસ્તુઓને અંદર લઈ જાય છે. જ્યારે ગ્રન્થિઓ શુદ્ધ થવા લાગે છે ત્યારે લેશ્યા પણ શુદ્ધ થવા લાગે છે. જ્યારે લેશ્યા શુદ્ધ થવા લાગે છે ત્યારે અધ્યવસાય શુદ્ધ થવા લાગે છે અને જ્યારે અધ્યવસાય શુદ્ધ થવા લાગે છે ત્યારે કષાયના તીવ્ર વિપાક નથી આવી શકતા. તે મંદ — મોળાં પડી જાય છે. તેનાં પરિણામ મંદ બની જાય છે. મંદ વિપાક કોઈ પણ ખરાબ ટેવનું નિર્માણ નથી કરી શકતા.
આ છે શુદ્ધિની પ્રક્રિયા. અધ્યાત્મના આચાર્યોએ આ આત્મશુદ્ધિની પ્રક્રિયાને એટલા સુંદર ઢંગ ને ઢબથી પ્રરૂપિત કરી છે કે તેને બરાબર સમજીને આપણે તેનો જે બરાબર પ્રયોગ કરીએ તો વ્યક્તિત્વના રૂપાંતરણમાં કોઈ જ મુશ્કેલી નથી રહેતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org