SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યકિતત્વનું જે રૂપાંતરણ કરે છે [૨] ૬૩ બનતાં બનતાં કાપોત-લેશ્યા બની જાય છે અને કાપોત-લેશ્યા જ્યારે શુદ્ધ બને છે ત્યારે તેજા-લેશ્યા બની જાય છે. આપણી સમગ્ર યાત્રા તેજો-લેશ્યાથી શરૂ થાય છે. રંગનું મનોવિજ્ઞાન બતાવે છે કે અધ્યાત્મની યાત્રા લાલ રંગથી શરૂ થાય છે. બાળસૂર્યની જેમ લાલ રંગથી અધ્યાત્મની યાત્રાનો આરંભ થાય છે. આપણી અધ્યાત્મ યાત્રા તેજોલેશ્યાથી શરૂ થાય છે. તેજો-લેશ્યાનો રંગ બાળસૂર્ય જેવો છે. આ યાત્રા શરૂ થાય છે ત્યારે બધા જ પ્રવાહ બદલાઈ જાય છે. કૃષ્ણ-લેશ્યામાં વર્તુળ વધુ અને તરંગો નાના હોય છે. નીલ-લેશ્યામાં તરંગની લંબાઈ વધી જાય છે અને વર્તુળ ઓછાં થઈ જાય છે. કાપોત-લેશ્યામાં તરંગની લંબાઈ વધુ વધી જાય છે અને વર્તુળ વધુ ઓછાં થઈ જાય છે. તેજો-લેશ્યામાં આવતાં જ પરિવર્તન શરૂ થઈ જાય છે. પદ્મ-લેશ્યામાં વધુ બદલાય છે. શુકલ-લેશ્યામાં પહોંચતાં જ વર્તુળ ઓછાં થઈ જાય છે અને માત્ર તરંગની લંબાઈ જ ફક્ત રહી જાય છે. એક જ તરંગ બની જાય છે. આ લેશ્યામાં વ્યક્તિત્વનું સંપૂર્ણ રૂપાંતરણ થઈ જાય છે. વ્યક્તિત્વના રૂપાંતરણની પ્રક્રિયા છે—લેશ્યાની શુદ્ધિ . – લેશ્માની શુદ્ધિની પ્રક્રિયા છે—ગ્રન્થિ-તંત્રની શુદ્ધિ. - ગ્રન્થિ-તંત્રની શુદ્ધિની પ્રક્રિયા છે—પ્રેક્ષા-ધ્યાન. આપણે જો પ્રેક્ષા-ધ્યાન દ્વારા આખાય શરીરને જોઈએ છીએ તો આખું શરીર કરણ બની જાય છે, એ એક દર્પણ બની જાય છે, નિર્મળ દર્પણ. તેની મલિનતા દૂર થઈ જાય છે, તેનાં આવરણ ખલાસ થઈ જાય છે. જ્ઞાનનું આવરણ અને દર્શનનું આવરણ સમાપ્ત થઈ જાય છે. શક્તિનો પ્રતિરોધ પૂરો થઈ જાય છે. મોહ કે મૂર્છાનું વર્તુળ તૂટી જાય છે. જોવાની શક્તિ તેજ બની જાય છે. જે માણસની વિદ્યુત તેજ-તીવ્ર બની ગઈ, તૈજસ-તીવ્ર થઈ ગઈ, એ માણસના જેવા માત્રથી શરીર વજ્ર જેવું બની જાય છે. ગાંધારીનો જીવન-પ્રસંગ છે. ગાંધારીએ દુર્યોધનને જોયો. તેના જોવા માત્રથી દુર્યોધનનું શરીર વજ્રમય બની ગયું. એ અભેદ્ય બની ગયો. તેને મારવાનું મુશ્કેલ બની ગયું. કૌરવ-પાંડવો વચ્ચે યુદ્ધ થયું. દુર્યોધન અય હતો. તેને મારવો સરળ ન હતો. કારણ તેનું આખું શરીર વજ્રમય હતું. સૌની સમક્ષ કઠિન સમસ્યા હતી. ભીમ અને અર્જુન જેવા સમર્થ પણ તેને મારી નાખવા માટે અસમર્થ હતા. વજ્ર પર કોઈ પ્રહાર ટકતો નથી. એના રહસ્યદાતા ત્યાં હતા. તેમણે રહસ્યનો ફોડ પાડયો કે દુર્યોધનને જો મારવો હોય તો તેના કટિભાગ ઉપર પ્રહાર કરો. કારણ એ ભાગ વજ્રમય નથી બની શકયો. ગાંધારીએ દુર્યોધનને જ્યારે જોયો ત્યારે તેણે કટિવસ્ત્ર પહેર્યું હતું. શરીરનો જેટલો ભાગ નિર્વસ્ત્ર હતો ગાંધારીની તૈજસ-શક્તિથી વજ્રમય બની ગયો અને જે સવજ્ર ભાગ હતો તે તેમનો તેમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy