SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યકિતત્વનું જે રૂપાંતરણ કરે છે [૨] ૬૧ આપણે પ્રેક્ષામાં લાવીએ છીએ ત્યારે તે વિરમણમાં બદલાઈ જાય છે. મન ત્યારે સીધું ચૈતન્યની પાસે પહોંચી જાય છે. ગૌતમે મહાવીરને પૂછયું : “ભગવંત! પ્રાણાતિપાત-વિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાન-વિરમણ, મૈથુન-વિરમણ, ક્રોધ-માન-માયા અને લોભ-વિરમણ – આ બધાં વિરમણમાં કેટલા રંગ, કેટલા રસ, કેટલી ગંધ અને કેટલા સ્પર્શ હોય છે? ભગવાન મહાવીરે કહ્યું: ‘તેમાં કોઈ રંગ નથી હોતો, કોઈ રસ નથી હોતો, કોઈ ગંધ નથી હોતી અને કોઈ સ્પર્શ પણ નથી હોતો. કારણ એ બધાં ચૈતન્યનાં કિરણો છે.” - રમણ છે પુદ્ગલ, અને વિરમણ છે ચૈતન્ય. રમણ રંગયુક્ત છે, વિરમણ રંગમુક્ત. આપણે જ્યારે પ્રેક્ષા-ધ્યાનનો પ્રયોગ કરીએ છીએ, રાગ અને દ્વેષ બંનેથી છૂટીને માત્ર જાણવાની દૃષ્ટિથી શરીરને જોઈએ છીએ, ત્યારે આપણે માત્ર જાણીએ છીએ, જોઈએ છીએ. પ્રેક્ષા-ધ્યાનમાં આપણે માત્ર જાણીએ, જોઈએ, કોઈ સંવેદન ન કરીએ. પ્રિય-અપ્રિયની કોઈ પ્રતિક્રિયા ન કરીએ. માત્ર જાણીએ, જોઈએ. સમતાભાવ, તટસ્થભાવ અને દ્રષ્ટાભાવ જાળવી રાખીએ. મનની આવી સ્થિતિ બને છે ત્યારે રાગ-દ્વેષથી શૂન્ય મને આપણે શરીરની પ્રેક્ષા કરીએ છીએ, તો આપણું સમગ્ર શરીર એક કારણ બની જાય છે, પારદશ, શુદ્ધ અને પવિત્ર બની જાય છે. ગ્રન્થિતંત્રને બદલવા માટે આપણે ચૈતન્ય-કેન્દ્રોની પ્રેક્ષા કરીએ છીએ. આખાય શરીરને કરણ બનાવવા માટે આપણે શરીરની પ્રેક્ષા કરીએ છીએ. સ્થાનાંગ સૂત્રનો એક માર્મિક પ્રસંગ છે. જે માણસને અતીન્દ્રિય-જ્ઞાન, અવધિજ્ઞાન ઉપલબ્ધ થાય છે, તો એ અવધિજ્ઞાની માણસ કયા માધ્યમથી જુએ છે? જોવાનું માધ્યમ છે, શરીર. શરીરથી જ પ્રકાશનાં કિરણો નીકળશે. અવધિજ્ઞાનની જ્યોતિ પ્રગટશે તો આ શરીરથી જ પ્રગટશે. આ શરીર એક ઢાંકણ છે. જ્યાં સુધી આપણે માત્ર સ્નાયવિક સંસ્થાનની ભીતર યાત્રા કરીએ છીએ અને સ્નાયુ સંસ્થાન(તંત્ર)ના માધ્યમથી જાણીએ, જોઈએ છીએ ત્યાં સુધી શરીર કરણ નથી બનતું. પરંતુ આપણે જ્યારે પ્રેક્ષાનો પ્રયોગ કરીએ છીએ – અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાના વિચયનો પ્રયોગ કરીએ છીએ ત્યારે આ સમગ્ર શરીર કરણ બની જાય છે. શરીર પૂરું કરણ બની જાય છે ત્યારે અવધિજ્ઞાની આખા શરીરથી જુએ છે. જો પૂરું શરીર કારણ નથી બનતું, માત્ર જમણો ખભો કરણ બને છે તો અવધિજ્ઞાની જમણા ખભાથી જુએ છે. જો આગળના ચૈતન્ય-કેન્દ્ર કરણ બની જાય તો અવધિજ્ઞાની આગળથી જુએ છે. જો પાછળ સુપુખ્તામાં કોઈ ચૈતન્ય કેન્દ્ર કરણ બની જાય તો અવધિજ્ઞાની પાછળથી જુએ છે. જો સહય કેન્દ્ર જાગ્રત થઈ ગયું, કરણ બની ગયું તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy