SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યકિતત્વનું જે રૂપાંતરણ કરે છે [૨] ૫૯ આ ત્રણ ચક્ર છે : સ્વાધિષ્ઠાન-ચક્ર, મણિપુર-ચક્ર અને અનાહત-ચક્ર. આ ત્રણેય ચક્રોમાં આપણી તમામ વૃત્તિઓ જન્મે છે. હવે આપણે વેશ્યાની દૃષ્ટિએ વિચારીએ. અવિરતિ, ક્ષુદ્રતા, નિર્દયતા, નૃશંસતા, અજિતેન્દ્રિયતા – આ કૃષ્ણ-લેશ્યાનું પરિણામ છે. ઈર્ષા, કદાગ્રહ, અજ્ઞાન, માયા, નિર્લજજતા, વિષયવાસના, કલેશ, રસ-લોલુપતા – આ નીલ-લેશ્યાનું પરિણામ છે. વક્રતા – વક્ર આચરણ, પોતાના દોષોને છાવરવાની મનોવૃત્તિ, પરિગ્રહનો ભાવ, મિથ્યા દૃષ્ટિકોણ, બીજાના મર્મને વીંધવાની વૃત્તિ, અપ્રિય કથન, આ બધાં કાપોત-લેશ્યાનું પરિણામ છે. - હવે આપણે ત્રણેયને – શરીરશાસ્ત્રીય દૃષ્ટિ, યોગશાસ્ત્રીય દૃષ્ટિ અને લેશ્યા દૃષ્ટિતુલનાત્મક દૃષ્ટિએ જોઈએ. લશ્યાના સિદ્ધાંતમાં જે ત્રણ વેશ્યાઓ છે, યોગશાસ્ત્રની દૃષ્ટિમાં જે ત્રણ ચક્ર છે અને શરીરશાસ્ત્રની દૃષ્ટિએ જે એડ્રીનલ અને ગોનાડ્ઝ ગ્રથિઓ છે તે દરેકનું વર્ણન સમાન જેવું છે. લેશ્યાનો સિદ્ધાંત માને છે કે બધી ટેવો ત્રણ લેશ્યામાં જન્મે છે. યોગશાસ્ત્ર માને છે કે બધી ટેવો ત્રણ ચક્રમાં ઉત્પન્ન થાય છે અને શરીરશાસ્ત્ર પણ કહે છે કે બધી ટેવો આ બે ગ્રન્થિઓમાં જન્મે છે. ત્રણેયના પ્રતિપાદનમાં અભુત સમાનતા છે. આમ આ સત્ય સ્પષ્ટ થાય છે કે બધી જ ખરાબ વૃત્તિઓ પેઢથી માંડીને પૂંટી સુધીના સ્થાન રાધી કે હૃદયના સ્થાન સુધી જન્મે છે. આટલાં જ તેમનાં સ્થાન છે. આ સત્યને સમજી લેવાથી બદલવાની વાતને સમજવામાં ઘણી સરળતા થઈ જાય છે. શરીરના ત્રણ ભાગ છે: એક ભાગ છે ટી–નાભિની ઉપરનો. તેને ઊર્ધ્વલોક કહે છે. બીજો ભાગ છે ફૂટી–નાભિનો આડો ભાગ. તેને મધ્યલોક કહે છે. ત્રીજો ભાગ છે ફૂટી-નાભિની નીચેનો ભાગ. તેને અધોલોક કહે છે. ટેવો કે ખરાબ વૃત્તિઓ અધોલોકમાં કે મધ્યલોકમાં જન્મે છે. ઊર્ધ્વલોકનો થોડોક ભાગ પણ આવી જાય છે. જ્યારે આપણું મન, આપણા વિચાર નાભિથી નીચેના ભાગમાં શક્તિ-કેન્દ્ર સુધી દોડતા રહે છે, ત્યારે ખરાબ વૃત્તિઓ ઊછળે છે, વિકસે છે. તેમનું ચક્ર ચાલતું રહે છે. પછીથી તે ટેવ બની જાય છે, તેનો અનુબંધ બંધાઈ જાય છે. એ વૃત્તિઓને હૃદયના ઉપરના ભાગમાં યાત્રા કરવા દો. એ જ ઉપરના ભાગમાં તેને રહેવા દો. આપણું મન જે ઉપરના ભાગની યાત્રામાં લાગ્યું રહેશે તો ટેવોમાં આપોઆપ પરિવર્તન શરૂ થઈ જશે. મનની યાત્રા જેટલી નીચે થતી રહેશે તેટલી ટેવો વધુ બગડતી જશે. ટેવોનું બનવું, બગડવું એ મનના રમણ અને વિરમણ પર આધારિત છે. મનને શરીરના નીચેના ભાગમાં રમણ ન કરવા દો. ત્યારે તેનું વિરમણ કરો. મનને શરીરના ઉપરના ભાગમાં રમણ કરવા દો ત્યારે તેનું વિરમણ ન કરો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy