SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ આભામંડળ અથવા આપણે એવો સંગ્રહ કરતા રહેતા હોઈએ, તો આપણો આ સ્થૂળ પુરુષાર્થ, ચિત્ત, મન અને શરીર-તંત્રર્તા પુરુષાર્થ -- ત્યાં કામ નથી આપતો. સ્થૂલ જગતમાં આપણને કયારેક કયારેક લાગે છે કે પુરુષાર્થ તો કર્યો છતાં પણ તે ફળ્યો નહિ. તે બધી વ્યાખ્યા સ્થૂળ જગતથી લેવા માગે છે. એ સ્નાયવિક જગતથી, સ્થૂળ શરીરની સીમા સુધી કામ કરનારી ચેતનાથી સમાધાન લેવા ચાહે છે. ત્યાં તેને સમાધાન નથી મળતું. આપણા પુરુષાર્થથી ઊલટું, પુરુષાર્થ કરવા છતાં પણ તેનાથી વિપરીત પરિણામ જો આવતું હોય, તો પછી આપણે લેશ્યાના જગતમાં જઈને, ભાવ-જગતમાં જઈને તેનું સમાધાન શોધવું પડશે. કયાંક એવું ન બની રહ્યું હોય કે એક બાજુ આપણો પુરુષાર્થ થતો રહેતો હોય અને બીજી બાજુ મન દ્વારા ખરાબ વિચારોના પરમાણુઓને, કાળા, નીલ અને કાપોત રંગના પરમાણુઓને ખેંચતા રહેતા હોઈએ, તો પુરુષાર્થ પર એવો પ્રહાર થશે, એ પરમાણુઓથી એ પુરુષાર્થ ટકરાશે અને તે સફળ નહિ થાય. દરેક વાતને સાપેક્ષતાથી સમજવાની હોય છે. . મહાવીરે કહ્યું, ‘પુરુષ ! તું જ તારો મિત્ર છે, તું જ તારો શત્રુ છે.’ આ પણ સાપેક્ષ વાત છે. કઈ સીમામાં આત્મા મિત્ર હોય છે અને ક સીમામાં શત્રુ? મિત્ર અને શત્રુ બનાવવાની પુરુષાર્થની કઈ મર્યાદાઓ છે? આપણે જો સ્થૂળ જગતની સાથે સૂક્ષ્મ જગતને સમજતા નથી, વિચાર, વ્યવહાર અને ચિત્તની ચેતનાની સાથે લેશ્યા અને અધ્યવસાયની ચેતનાને નથી જોડતા તો પૂરું સમાધાન નથી મળતું. આથી આપણે વ્યક્તિત્વના રૂપાંતરણ માટે સૂક્ષ્મ જગત પર ધ્યાન આપવાનું છે. બે શબ્દ છે : અજિતેન્દ્રિય અને જિતેન્દ્રિય. સામાજિક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર વ્યક્તિ અમુક હદ સુધી જિતેન્દ્રિય બનવા ચાહે છે. સાધના કરનાર વ્યક્તિ વ્યાપક હદ સુધી જિતેન્દ્રિય થવા ચાહે છે. પરંતુ સમસ્યા બંને સામે છે કે શું નિયંત્રણથી જ જિતેન્દ્રિય થઈ શકાય છે? ઘણી કઠિન વાત છે. જિતેન્દ્રિય થવા માટે આ નિયંત્રણ કક્ષથી પાર જઈને રંગોની સમસ્યાઓ પર પણ આપણે ધ્યાન આપવું પડશે. આપણે જો ચમકતા પીળા રંગોને આકર્ષિત કરીએ છીએ તો જિતેન્દ્રિય થવાની સ્થિતિ નિર્માણ થાય છે. આપણે તો જિતેન્દ્રિય થઈ શકીએ છીએ. પદ્મ-લેશ્યાનો અભ્યાસ કરનાર વ્યક્તિ જિતેન્દ્રિય થઈ શકે છે. કૃષ્ણ અને નીલ લેશ્મામાં રહેનાર વ્યક્તિ અજિતેન્દ્રિય થાય છે. - કૃષ્ણ લેશ્માનું સૂત્ર છે: અજિઇંદિઓ – અજિતેન્દ્રિય. પદ્મ લેશ્માનું સૂત્ર છે: જિઇંદિઓ – જિતેન્દ્રિય, આ બંને પ્રકારના પરમાણુઓ એકબીજાના વિરોધી છે. જ્યાં સુધી કાળા રંગનો પ્રભાવ રહે છે ત્યાં સુધી આપણે જિતેન્દ્રિય નથી થઈ શકતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy