SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યક્તિત્વનું જે રૂપાંતરણ કરે છે [૧] ૫૩ સર્વ પ્રથમ પાન અને ઇન્દ્રિયો ઉપર અમુક હદ સુધી એ વ્યક્તિ નિયંત્રણ કરે છે. જે વ્યક્તિ સમાજમાં ઊંચા સ્થાને છે તેના માટે નિયંત્રણ કરવું વધુ જરૂરી બની જાય છે. આથી રાજનીતિના આચાર્યોએ કહ્યું- જે મોટો નેતા બનવા ઇચ્છે છે તેણે સર્વ પ્રથમ પોતાનું નિયંત્રણ કરવું. પોતાની ઇન્દ્રિયોને તે કાબૂમાં રાખે. એ ઇન્દ્રિયો ઉપર એટલો અંકુશ તો જરૂર રાખે કે જેથી સમાજમાં તેની ઉછુંખલતા કયાંય દેખાય નહિ. લોકો વ્યવહારને જુએ છે. સામે અધ્યાત્મ નથી આવતું, વ્યવહાર નજર સામે આવે છે. વ્યવહારમાં બેહુદાપણું ન દેખાય તે અપેક્ષિત છે. વ્યક્તિમાં બેહુદાપણું છે કે નહિ તેની સમાજ ચિંતા નથી કરતો. વ્યક્તિનું બેહૂદાપણું બહાર ન આવે તેની જ સમાજ ચિંતા કરે છે. નેતા પોતાના બોલવા ઉપર એટલો તો કાબૂ જરૂર રાખે કે તેના બોલવાથી સારુંય સંગઠન ક્યાંક તૂટી ન જાય. ક્યારેક ક્યારેક નેતાના એકાદ વિધાનથી સારુંય શાસન-તંત્ર તૂટી જાય છે. નેતા પોતાના મન ઉપર પણ એટલો સંયમ રાખે કે પોતાના મનમાં આવે તે બોલી દે, એવું ક્યારેય ન કરે. કંઈક સમજી-વિચારીને જ એ કરે. મન પર, ઇન્દ્રિયો પર, વાણી પર અને વ્યવહાર પર એક સીમિત નિયંત્રણની અપેક્ષા સૌ કોઈ રાખે છે. પરંતુ જો કૃષ્ણ લેશ્યા છે, કાળા રંગના પરમાણુ સતત ખેંચતા રહે છે તો વ્યક્તિના ભાવ ખરાબ બની જાય છે. એ હજાર વખત ભલેને નિર્ણય કરે, રાજનીતિના પાઠ ભણે, ઉપદેશ સાંભળે, છતાં પણ પ્રસંગ આવ્યે એ એવી વાત કહી બેસે છે કે જેના પર તેનું નિયંત્રણ નથી હોતું. આ કાળા રંગના પરમાણુઓ તેને સંચાલિત કરે છે. કાળા રંગના પરમાણુઓથી બનતા ભાવ તેનું સંચાલન કરે છે. આ ભાવ વિચારો પર ઊતરે છે. વિચાર વ્યવહારમાં ઊતરે છે અને વ્યક્તિ ઇછે કે ન ઇચ્છે તો પણ એ અભદ્ર વાત કહી જ બેસે છે. અને વ્યક્તિના મનમાં પછી વિચાર આવે છે કે પોતે આવું નહોતું કહેવું જોઈતું. જ્યાં સુધી કાળા રંગના, નીલ રંગના અને કાપોત રંગના પરમાણુઓ આકર્ષિત થતા રહે છે અને તે વેશ્યા-તંત્ર અને ભાવ-તંત્રને પ્રભાવિત કરતા રહે છે, ત્યાં રાધી વ્યક્તિનો વિચાર હોય કે ન હોય, તે એવો વ્યવહાર કરવા છે કે ન ઇચ્છે તો પણ તેનાથી એવો વ્યવહાર થઈ જાય છે. આ બિન્દુ પર આવીને પુરુષાર્થની સીમાને પણ સમજવાની છે. આ એક એવું બિન્દુ છે કે જ્યાં પુરુષાર્થની સીમાનું મૂલ્ય સમજવામાં આવે છે. આપણું કર્તૃત્વ સ્વતંત્ર છે. આત્માનું કર્તૃત્વ સ્વતંત્ર છે. આપણે પુરુષાર્થ કરીએ છીએ પરંતુ પુરુષાર્થની સીમા ચિત્તા સુધી, સ્થૂળ શરીર સુધી, સ્નાયવિક જગત સુધી છે. જ્યાં ભાવનું જગત છે ત્યાં પુરુષાર્થની સીમા બદલાઈ જાય છે. જો આપણા એવા પરમાણુઓનો સંગ્રહ થતો રહેતો હોય, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy