SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યક્તિત્વનું જે રૂપાંતરણ કરે છે [૧] ૫૧ બદલાઈ જાય છે. વિચાર બદલાઈ જાય છે ત્યારે વિચાર પાછળ ચાલતો વ્યવહાર આપોઆપ બદલાઈ જાય છે. આપણે ફરીથી બદલવાની વાતને સમજીએ. આપણે વ્યવહારને નિયંત્રણ દ્વારા જ બદલી શકીએ છીએ. વિચારને આપણે નિયંત્રણ દ્વારા જ બદલી શકીએ છીએ. એવો વિચાર ન કરો કે નિષેધ જ ચાલશે. બંને ચાલશે. વાસ્તવમાં વિધિ અને નિષેધ અલગ અલગ નથી. બંને એક જ છે. કેટલાક લોકો મૂંઝાઈ જાય છે કે આ વૈજ્ઞાનિક યુગમાં નિયંત્રણની વાત કરવી એ સમગ્ર વિજ્ઞાનને ઉલટાવી દેવા બરાબર છે. પરંતુ તેઓ આ વાતને ભૂલી જાય છે કે વિધિ અને નિષેધને સર્વથા અલગ નથી કરી શકાતા. વિદ્યુતના બે પ્રકાર છે: પૉઝિટિવ અને નેગેટિવ. બંનેને અલગ કરી દો. વીજળી નહીં ચાલે. બંનેનો સંયોગ કરો, વીજળી પ્રગટી ઊઠશે. વિધિ અને નિષેધ બને નિરંતર સાથોસાથ ચાલે છે. એકનું વિધાન કરીએ છીએ તો બીજાનો નિષેધ આપોઆપ થઈ જાય છે. આજની ચિકિત્સા પદ્ધતિમાં થોડોક ફરક છે. એ છે ખંડ ચિકિત્સા પદ્ધતિ. એક સમય હતો ત્યારે અખંડ ચિકિત્સા પદ્ધતિનું ચલણ હતું. ઘૂંટણમાં દુખાવો થયો. અગાઉનો ચિકિત્સક ત્યારે ઘૂંટણનો ઇલાજ નહોતો કરતો. એ કહેતો : “આ તો રોગનું લક્ષણ છે જે ઘૂંટણમાં અભિવ્યક્ત થયું છે. ભલા! ઘૂંટણમાં તે શું છે કે ત્યાં રોગ થાય? ઘૂંટણનો દુખાવો તો ખબર આપે છે કે શરીરમાં રોગ છે.” માથું દુખે છે. માથાના દુખાવાનો ઈલાજ નહી થાય, શરીરનો ઇલાજ થશે. ન ઘૂંટણના દર્દનો ઇલાજ, ન શિર-દર્દનો ઈલાજ, ન કાનના દર્દનો ઈલાજ, ન હાથના દર્દનો ઈલાજ. આ બધાં તો શરીરનાં અંગ અને અવયવ છે. શરીરને તપાસો કે રોગ ક્યાં છે? મૂળને તપાસો કે બીમારી ક્યાં છે? આખા શરીરની ચિકિત્સા કરો, તેનાં તમામ દર્દ-દુખાવા મટી જશે. શરીર સ્વસ્થ થતાં ન ઘૂંટણનો દુખાવો રહેશે, ન માથાનો, ન કાનનો, ન હાથનો. આ અખંડિત ચિકિત્સા પદ્ધતિ છે. શરીરનાં અંગ-અંગની નહીં, સર્વાગ શરીરનો ઇલાજ કરો. ખંડિત ચિકિત્સા પદ્ધતિથી વિકૃતિઓ પણ પેદા થઈ અને ભ્રાન્તિઓ પણ. આ પદ્ધતિની ચિકિત્સામાં માદક ગોળીઓ અપાય છે. એવી ગોળીઓ લીધી. સ્નાયુઓમાં રાહત વધી. થોડો સમય દુખાવો ઓછો થયાનું લાગે છે. પરંતુ જ્યારે રાહતની શક્તિ મંદ પડે છે ત્યારે એ અવયવ ફરીથી દુખવા લાગે છે. માથાનો દુખાવો થયો. સેરિડોન, એનિસિન વગેરે ગોળીઓ લીધી. દુખાવો ઊતરી ગયો હોય એમ અનુભવાય છે. રોજે રોજ આ ગોળીઓનો પ્રયોગ થાય છે. જેવો ગોળીનો નશો પૂરો થાય છે કે તરત જ રોગ ફરી પ્રગટ થઈ જાય છે. આ શામક-રાહત ગોળીઓએ, ખંડ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy