SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યકિતત્વનું જે રૂપાંતરણ કરે છે [૧] ૪૯ અમુક માણસે આ વિચાર કર્યો હતો. આકાશ-મંડળમાં માનસિક ચિત્ર, મનની આકૃતિઓ ભરાયેલાં છે. મનની ભાષા ચિત્રની ભાષા છે, લિપિની ભાષા નથી. ભાવની ભાષા તેનાથી પણ સૂક્ષ્મ છે. તે રેખાઓની ભાષા છે. ત્યાં સ્પંદન રેખાઓનું રૂપ લઈ લે છે. અધ્યવસાયની ભાષા કોરી તરંગોની ભાષા છે. ત્યાં કોઈ રેખાઓ નથી. અધ્યવસાયની ભાષા તરંગની ભાષા છે, સ્પંદનની ભાષા છે. ગ્લેશ્યાની ભાષા રેખાંકનની ભાષા છે. ~~મનની ભાષા ચિત્રની ભાષા છે. માણસની ભાષા લિપિની ભાષા છે, અક્ષરાત્મક ભાષા છે. સૂક્ષ્મ જગતમાં આપણે જે કંઈ કરીએ છીએ તે બધું સ્કૂલ જગતમાં ઊતરે છે. મનોવૈજ્ઞાનિકોએ જે વ્યાખ્યા કરી છે તે વાસ્તવમાં જટિલ બની છે. એ વ્યાખ્યાઓ અધૂરી છે. કારણ વ્યવહારની વ્યાખ્યા પરિસ્થિતિને આધારે થાય છે. એક માણસ કયારેક પ્રેમ કરે છે, કયારેક ધૃણા કરે છે. આ કેમ બની શકે કે એક જ માણસ કયારેક પ્રેમ અને કયારેક ઘૃણા કરે? આશ્ચર્ય એ વાતનું છે કે જે માણસ સવારે જે માણસને ઘૃણા કરે છે અને સાંજે તેને જ એ પ્રેમ કરે છે. આમ કેમ થાય છે? વ્યાવહારિક મનોવિજ્ઞાન તેના જવાબમાં કહે છે કે જે માણસ જે પ્રકારના ઑબ્જેકટથી જે વાત શીખે છે તે એવું જ કરવા લાગી જાય છે. એ માણસ બાળપણમાં જ એ વાત શીખી ચૂકયો હોય છે. માએ તેને કયારેક લાડ લડાવ્યાં, પ્રેમ કર્યો તો તેણે પ્રેમ શીખી લીધો. માતાએ તેને કયારેક ધમકાવ્યો, માર્યો તો તેણે ધૃણા શીખી લીધી, ક્રોધ કરવાનું શીખી લીધું અને ઉત્તેજિત થવાનું શીખી લીધું. માણસ જે કંઈ શીખે છે તે વ્યવહારથી શીખે છે. મનોવિજ્ઞાન વ્યવહારનું આથી વિશેષ કોઈ સમાધાન નથી કરાવતું. પરંતુ આપણો વ્યવહાર એટલો સરળ નથી. એ એટલું જટિલ અને એટલી બધી જટિલતાથી ભરેલું છે કે માત્ર પરિસ્થિતિઓનાં પ્રતિબિબો ગ્રહણ કરવાથી પૂરું સમાધાન નથી થતું. પરંતુ આપણે જે આ બધી સમસ્યાઓને વ્યવહારજગતથી વિચારજગત સુધી લઈ જઈએ, વિચાર-જગતથી ભાવ-જગત સુધી લઈ જઈએ અને ભાવ-જગતથી અધ્યવસાય-જગત સુધી લઈ જઈએ તો આપણને સંપૂર્ણ વ્યાખ્યા મળી શકે છે અને પૂરેપૂરું સમાધાન થઈ શકે છે. અધ્યવસાયના જગતમાં, કર્મ-શરીરના જગતમાં એક મૂર્છા છે. પ્રેમ પણ મૂર્છા છે અને ઘૃણા પણ મૂર્છા છે. પ્રેમ કરવો એ પણ મૂર્છા છે અને ઘૃણા કરવી તે પણ મૂર્છા છે. બંને એક છે, બે નથી. માત્ર માત્રાનું અંતર છે. માત્ર પ્રકંપનોનું અંતર છે, બીજું કોઈ અંતર નથી. વિજ્ઞાન-જગતમાં આ વિરોધી વાતોને ઉકેલવાનો ખૂબ પ્રયત્ન થયો છે. એક છે રંગ અને 2011.-8 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy