________________
૪૬ આભામંડળ આપણી માનસિક પ્રવૃત્તિ છે. આ બંને સ્નાયુઓથી સંબંધિત છે. મન પણ સ્નાયવિક પ્રવૃત્તિ છે અને વ્યવહાર પણ સ્નાયવિક પ્રવૃત્તિ છે. ભાવ સ્નાયવિક પ્રવૃત્તિ નથી. તે વેશ્યા-કેન્દ્રથી થનાર પ્રવૃત્તિ છે. વ્યવહારનું નિયંત્રણ કરી શકાય છે. આમ બેસો, આમ ન બેસો, આ કરો, તે ન કરો. આ બધી સ્નાયયિક પ્રવૃત્તિ છે. તેના પર નિયંત્રણ કરી શકાય છે. વાણીની પ્રવૃત્તિ ઉપર નિયંત્રણ કરી શકાય છે અને મનની ક્રિયા ઉપર પણ નિયંત્રણ કરી શકાય છે. પરંતુ જ્યારે આપણે વ્યવહાર અને વિચારથી પર અને પાર જઈએ છીએ, ભાવજગતમાં પ્રવેશ કરીએ છીએ અને એ ચેતના સ્તર પર જઈએ છીએ ત્યાં નિયંત્રણ કોઈ કામ નથી આપતું. આપણું આ પ્રસિદ્ધ સૂત્ર છે કે યોગની પ્રવૃત્તિનો, ક્રિયાત્મક આચરણનો ત્યાગ કરી શકાય છે, તેનું પ્રત્યાખ્યાન કરી શકાય છે પરંતુ આંતરિક મલિનતાનો ત્યાગ અને પ્રત્યાખ્યાન નથી કરી શકાતું. પ્રમાદ અને કપાયનો ત્યાગ ક્યારેય નથી થતો. જેટલો ત્યાગ જેટલું પ્રત્યાખ્યાન થાય છે તે બધું જ ક્રિયાત્મક પ્રવૃત્તિનું થાય છે. આ ક્રિયાત્મક પ્રવૃત્તિ ચાહે મનની હોય, ચાહે વાણીની હોય કે ચાહે શરીરની. સમગ્ર નિયંત્રણ, ત્યાગ કે પ્રત્યાખ્યાન થશે આ ક્રિયાત્મક પ્રવૃત્તિઓનું. આનું તાત્પર્ય એ છે કે સ્થૂળ શરીરનું ચેતના સુધી, સ્થૂળ શરીરની સ્નાયવિક ક્રિયા સુધી જ ત્યાગ અને નિયંત્રણ થાય છે. તેની આગળ જે કંઈ થાય છે તે સ્વાભાવિક થાય છે, કરેલું નથી થતું. ભાવ અને વેશ્યાના ક્ષેત્રમાં નિયંત્રણ નહિ, શુદ્ધિ થાય છે. આપણા જીવનમાં નિયંત્રણને પણ અવકાશ છે અને શુદ્ધિને પણ અવકાશ છે. નિયંત્રણના ક્ષેત્રમાં આપણે શુદ્ધિને ન લાવીએ અને શુદ્ધિના ક્ષેત્રમાં નિયંત્રણને ન લાવીએ. બંનેને પોતપોતાની સીમાઓ છે. એક છે, નિયંત્રણની સીમા, બીજી છે, શુદ્ધિની સીમા.
ઘણી વાર એવું બને છે કે માણસ નિયંત્રણ કરવા ચાહે છે, શુદ્ધિ કરવા ઇચ્છે છે, સંકલ્પ કરવા માગે છે, સારો થવા ઝંખે છે, પરંતુ તેવો તે નથી બની શકતો. તેવું તે નથી કરી શકતો. ત્યાગ કરે છે, પ્રત્યાખ્યાન કરે છે, દૃઢ નિશ્ચય કરે છે પરંતુ અંતરમાં જે બદલાવું જોઈએ તે નથી બદલાતું. જે આદત બનવી જોઈએ, જે ટેવ પડવી જોઈએ તે નથી બનતી. ત્યારે માણસના મનમાં પ્રશ્ન થાય છે, તેનું સુંદર સમાધાન આ વેશ્યાતંત્ર દ્વારા મળે છે. આપણે સ્નાયવિક સ્તર પર જો આ પ્રશ્નને સમાહિત કરવા ઇચ્છીએ તો નથી થઈ શકતું. સ્નાયવિક સ્તરની સાધના માત્ર નિયંત્રણ સુધી લઈ જાય છે, રૂપાંતરણ સુધી નથી લઈ જતી. જ્યાં સુધી આપણે રૂપાંતરણના સ્તર પર જાગતા નથી, જયાં સુધી ચિત્તવૃત્તિઓથી જાગ્રત થતા નથી, ચેતનાને ત્યાં જગાડતા નથી, ત્યાં ધ્યાન નથી કરતા તો નિયંત્રણ થઈ શકે છે, શુદ્ધિ નથી થઈ શકતી. જ્યાં સુધી શુદ્ધિ નહિ થાય ત્યાં સુધી નિયંત્રણની વાત સામે આવતી જ રહેશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org