________________
વ્યકિતત્વનું જે રૂપાંતરણ કરે છે [૧] ૪૫ ખરાબ પણ. સારો ખરાબ બની શકે છે અને ખરાબ સારો પણ બની શકે છે. આપણી આ દુનિયામાં એવો એક પણ માણસ નથી કે જેને સંપૂર્ણ – પરિપૂર્ણ સારો કહી શકાય અને એક પણ માણસ એવો નથી કે જેને પૂરેપૂરો ખરાબ કહી શકાય. આપણે જેને ખરાબ માનીએ છીએ તે સારો પણ છે અને જેને સારો માનીએ છીએ તે ખરાબ પણ છે. સારાપણું અને ખરાબ પણે બંને સાથોસાથ – જોડાજોડ ચાલે છે. અંતર એટલું હોય છે કે સારપ જ્યારે ઊભરાઈને સામે આવે છે ત્યારે ખરાબ નીચે રહી જાય છે. અને ખરાબ ઊભરાઈને સામે આવે છે ત્યારે સારપ નીચે રહી જાય છે. આથી આપણે એ બિંદુની શોધ કરવી છે કે જ્યાં વ્યક્તિનું રૂપાંતરણ થાય છે અથવા જે વ્યક્તિને રૂપાંતરિત કરે છે. શોધનું પરિણામ આવ્યું કે એ બિંદુ છે, વેશ્યા. વેશ્યા એક એવું ચૈતન્ય કેન્દ્ર છે જ્યાં પહોંચીને માણસનું વ્યક્તિનું રૂપાંતરણ થાય છે.
ચેતનાના ત્રણ સ્તર છે: ૧. સ્થૂળ ચેતનાનો સ્તર: સ્થૂળ શરીર સાથે આ ક્રિયાશીલ રહે છે. ૨. વેશ્યાનો સ્તર: આ વિદ્યુત શરીર – તૈજસ શરીર સાથે કામ કરે છે. ૩. અધ્યવસાયનો સતર: અતિસૂક્ષ્મ શરીર (કર્મ-શરીર) સાથે કામ કરે છે.
શરીર ત્રણ છે: સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર અને અતિસૂક્ષ્મ શરીર. શુળ શરીર છે, દારિક, સૂક્ષ્મ શરીર છે, તૈજસ અને અતિસૂક્ષ્મ શરીર છે કર્મશરીર. આ ત્રણેય સ્તર પર ત્રણ ચેતના-કેન્દ્ર કામ કરે છે. એક છે, ચિત્ત ચેતનાકેન્દ્ર. બીજું છે, વેશ્યા ચેતના-કેન્દ્ર, અને ત્રીજું છે, અધ્યવસાય ચેતના-કેન્દ્ર. આ ત્રણેય ત્રણ સ્તરો પર કામ કરે છે. ચિત્તનો સંબંધ આપણા સ્થૂળ શરીરથી છે. ચિત્ત, મન અને ઇન્દ્રિયો–આ બધાં સ્થૂળ શરીરથી સંબદ્ધ છે. વેશ્યા આપણા સ્થૂળ શરીરથી સંબદ્ધ નથી. જેમને મગજ છે, સુષષ્ણા છે, નાડી-તંત્ર છે તેમને લેશ્યા હોય છે. તો જે જીવોમાં આ ત્રણ નથી હોતાં અને માત્ર સ્પર્શન ઈન્દ્રિય હોય છે તેઓને પણ વેશ્યા હોય છે. આ વેશ્યા-તંત્ર, ભાવોને નિર્માણ કરનાર તંત્ર, આ ચેતના-કેન્દ્ર સૌથી વધુ સજાગ અને સક્રિય હોય છે. જેટલી સ્નાયવિક ક્રિયા છે તે બધી શરીરથી સંબંધ રાખે છે. મનનો કોઈ પણ વિચાર, વાણીની કોઈ પણ પ્રવૃત્તિ, શરીરની કોઈ પણ કિયા અને બુદ્ધિ કે ચિત્તની કોઈ પણ કિયા આ શરીરતંત્ર વિના, સ્નાયુઓના સાથ વિના નથી થતી. જ્ઞાનવાહી સ્નાયુ અને ક્રિયાવાહી સ્નાયુ-બંને પ્રકારના સ્નાયુઓ આ બધી ક્રિયાઓનું સંપાદન કરે છે પરંતુ લેગ્યા માટે આ સ્નાયુઓની કોઈ અપેક્ષા નથી. તે સ્નાયુથી પાર, સ્થૂળ શરીરથી પાર છે. અહીં એ પણ સ્પષ્ટ થઈ જાય છે કે આત્મનિયંત્રણ સ્નાયવિક સ્તર પર થાય છે અને આત્મશુદ્ધિ વેશ્યાના સ્તર પર થાય છે.
આપણા વ્યક્તિત્વની ત્રણ બાજ છે: ભાવ, વિચાર અને વ્યવહાર. વ્યવહાર આપણી કાયિક પ્રવૃત્તિ છે. કાયિક— શારીરિક આચરણ છે. વિચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org