________________
પાંચ . . .
દરેક સમજદાર વ્યક્તિ પોતાનું રૂપાંતરણ ઇચ્છે છે, વ્યક્તિત્વને બદલવા માગે છે. જે જેવો છે, તેમાં તેને સંતોષ નથી અને વધુ સારો બનવા ઇચ્છે છે. વ્યક્તિત્વના રૂપાંતરણની આ ભાવના દરેક વ્યક્તિમાં સતત રહે છે. પરંતુ પ્રશ્ન આ છે કે વ્યક્તિત્વનું રૂપાંતરણ કેવી રીતે થાય અને ક્યાંથી થાય? એ કેવું કેન્દ્ર છે કે જ્યાં પહોંચીને વ્યક્તિ રૂપાંતરિત થઈ શકે, પોતાના વ્યક્તિત્વને બદલી શકે?
વ્યક્તિત્વનું આવરણ અને વ્યક્તિત્વનું રૂપાંતરણ– આ બે બાબત છે. જ્યારે મન થાય ત્યારે વ્યક્તિત્વ પર આવરણ ઓઢી શકાય છે. જે વ્યક્તિ જેવી છે તેવી દેખાવાનું ઓછું પસંદ કરે છે. પોતાના વ્યક્તિત્વ ઉપર તે ઘણી વાર આવરણ ઢાંકી દે છે કે જેથી બીજો તેને ઓળખી ન શકે. પોતાના અસલી રૂપ–સ્વરૂપને જાણી ન શકે. માણસને યથાર્થમાં જાણવો, ઓળખવો ખૂબ જ મુશ્કેલ છે, કારણ તેના વ્યક્તિના ઉપર એટલાં બધાં આવરણ છે કે તેનું કોઈ પણ મૂળ રૂપ જાણી નથી શકાતું. કોઈ પણ માણસ પોતાને ક્રોધી કે માયાવી બતાવવા નથી ઇચ્છતો. ક્રોધી માણસ પોતાને ખૂબ શાંત અને ક્ષમાશીલ પ્રદર્શિત કરવા ઇચ્છે છે અને માયાવી માણસ પણ પોતાને ખૂબ જ ઋજુ અને સરળ દેખાડવા ચાહે છે. તે પોતાને વીતરાગ બતાવવા માગે છે. આમ વ્યક્તિત્વ ઉપર અનેક આવરણ નાખવામાં આવે છે. એથી વ્યક્તિની ઓળખ નથી થઈ શકતી. વ્યક્તિને સમજવામાં, માણસને સમજવામાં જેટલી થાપ ખવાઈ જાય છે એટલી કોઈને સમજવામાં થાપ નથી ખવાતી. પદાર્થને સમજવામાં કોઈ થાપ નથી ખવાતી. પરંતુ માણસને સાચા રૂપમાં ઓળખવામાં જોખમ હોય છે અને તેનું કારણ સ્પષ્ટ છે કે માણસ પોતાના વ્યક્તિત્વ ઉપર આવરણ ઓઢવાનું જાણે છે. આવરણ ઓઢવાની, મહોરાં પહેરવાની તેનામાં તીવ્ર બુદ્ધિ અને ક્ષમતા છે.
વ્યક્તિત્વનું રૂપાંતરણ એ એક બીજી બાબત છે. રૂપાંતરણ કરવું એ આવરણ ઓઢવા બરાબર નથી. રૂપાંતરણમાં માણસ બિલકુલ બદલાઈ જાય છે. માણસ નવો થઈ જાય છે. નવો જન્મ થાય છે તેનો. પછી ત્યારે આવરણ ઓઢવાની વાત નથી રહેતી. રૂપાંતરણથી માણસ સારો પણ થઈ શકે છે અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org