________________
સ્થળ અને સૂક્ષ્મ જગત ૪૧ રંગને અનુરૂપ બની જાય છે. જેવું સાન્નિધ્ય મળે છે તેવું બની જાય છે.
સ્ફટિક સામે જેવો રંગ આવે છે, તે તેવો જ દેખાવા લાગે છે. સફટિકનો પોતાનો રંગ નથી હોતો. તેની સામે કાળો રંગ આવે છે તો તે કાળો, પીળો રંગ આવે છે તો પીળો, લાલ રંગ આવે છે તો લાલ, અને લીલો રંગ આવે છે તો લીલો બની જાય છે. આત્માના પરિણામનો કોઈ રંગ નથી હોતો. સામે જે રંગના પરમાણુ આવે છે, આત્માના પરિણામ એ રંગમાં બદલાઈ જાય છે. તેવી જ આપણી ભાવ-લેશ્યા થઈ જાય છે. આ મંત્ર આપણા જીવનની પ્રત્યેક ગતિવિધિથી સંબદ્ધ તંત્ર છે. આથી આ વિષય પર આપણે ખૂબ જ વિસ્તારથી ચર્ચા કરવી પડશે.
એક માણસ મરે છે. તે બીજા જન્મમાં જન્મે છે. પૂછયું: ‘આગલા જન્મમાં તે શું થશે? કેવો થશે?’ જવાબ મળ્યો: “જે લેફ્સામાં મરશે એવી લેશ્યામાં તે જનમશે. જે રંગમાં મરશે તેવા રંગમાં એ જનમશે.”
જ્ઞાન અને ધ્યાનની સાથે, કર્મ અને જીવનની સાથે મૃત્યુ અને પુનર્જન્મની સાથે– બધાની સાથે રંગનો સંબંધ છે. સ્થૂળ વ્યક્તિત્વનો એવો એક પણ વિષય નથી કે જેની સાથે રંગનો સંબંધ ન હોય. આંગળી હાલે છે. તેનો પણ એક પોતાનો રંગ છે. એક આંગળીનું નામ છે તર્જની. તેનું કામ છે તતડાવવાનું. તેને જ તર્જની કેમ કહી? બીજી આંગળીઓને તર્જની કેમ ન કહી? તેને તર્જની એટલા માટે કહી કે તેનો રંગ તર્જના દેનારો છે. આપણી આંગળીઓનો, આપણા ઘૂંટણ અને એડીનો, આપણા પગ સુધીના ભાગનો રંગ, આપણી કમર સુધીના ભાગનો રંગ અને શરીરના ઉપરના ભાગનો રંગ અલગ અલગ છે. બધે રંગ જ રંગ છે. જે પણ આપણે ખાઈએ છીએ તે આહારપર્યાપ્તિના કોષોમાં જાય છે. આહારપર્યાપ્તિના એ કોષો સૌ પ્રથમ એ પરમાણુ
ઓને રંગ અને રૂપમાં બદલે છે. તેમને રંગ આપે છે. આપણા તમામ વિચાર રંગથી સંબદ્ધ છે. આપણું ચિંતન, આપણી સ્મૃતિ રંગથી સંબદ્ધ છે. સમગ્ર વ્યક્તિત્વને લેગ્યા-રંગે પ્રભાવિત કરેલું છે. આથી આ વિષય પર વિસ્તૃત ચર્ચા કરવી જરૂરી છે.
પાંચમું તંત્ર છે યોગનું-પ્રવૃત્તિનું. આ પણ વ્યક્તિત્વની ઓળખ લક્ષણ છે. યોગ એટલે ચંચળતા. પ્રશ્ન થાય કે જીવનું આ લક્ષણ કેવી રીતે બની શકે? ચંચળતા પરમાણુમાં પણ હોય છે. આનો જવાબ છે કે જીવમાં સ્વરછાકૃત ચંચળતા હોય છે, પરમાણુમાં સ્વેચ્છાકૃત ચંચળતા નથી હોતી. પ્રાણીનું લક્ષણ માત્ર ગતિ નથી. પરંતુ સ્વૈચ્છિક ગતિ છે. ગતિ અચેતનમાં પણ હોય છે. દુનિયામાં એવો એક પણ પદાર્થ નથી કે જેમાં ગતિ ન હોય. પુદ્ગલ અને જીવ બંનેમાં ગતિ છે. પુદગલમાં સ્વૈચ્છિક ગતિ નથી હોતી, જીવમાં સ્વેચ્છાકૃત ગતિ હોય છે. આથી યોગ પણ જીવનું એક લક્ષણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org