________________
સ્થૂળ અને સૂક્ષ્મ જગત ૩૯ રેલવે માટે આ શકય નથી કે એ વિચારે કે હું પાટા પર આટલી બધી ચાલી છું હવે હું સડક પર ચાલું. પરંતુ એક નાની અમસ્તી કીડી માટે એ શકય છે. પ્રાણીની જે વિશેષતા છે એ છે એની સ્વતંત્રતા, તેની વિચારની સ્વતંત્રતા. વિચારનું તંત્ર, ભાવનું તંત્ર એટલું વિરાટ અને વિશાળ છે કે તેના માટે કોઈ નિયમ નથી બનાવી શકાતો. તેની કોઈ ચોક્કસ વ્યાખ્યા બાંધી નથી શકાતી. આજના મનોવૈજ્ઞાનિકોએ હજારો હજારો પ્રયોગો અને શોધો કરી તેમ છતાંય તમામ પ્રાણીઓ માટે તેઓ કોઈ સાર્વભૌમ નિયમ નથી બનાવી શકયા અને બનાવી પણ નહિ શકે.
પ્રાણી અને પદાર્થનું આ મૌલિક અંતર છે કે પદાર્થની આભા નિશ્ચિત હોય છે. તેમાં પરિવર્તન કરનારું નિયામક તત્ત્વ નથી હોતું. પ્રાણીની આભા બદલાતી રહે છે. તેમાં કયારેક કાળો, કયારેક લાલ, કયારેક પીળો, કયારેક લીલો તો કયારેક સફેદ રંગ ઝલકાઈ આવે છે. માણસના ભાવને અનુરૂપ રંગ બદલાતા રહે છે. માણસ ગુસ્સામાં હોય છે તો લાલ રંગની આભા બની જાય છે. માણસ શાંત હોય છે તો સફેદ રંગની આભા બની જાય છે. આભા પ્રાણીનું લક્ષણ છે પરંતુ તેની સાથે આ ઉંમેરી દેવું જોઈએ કે પરિવર્તનશીલ આભા પ્રાણીનું લક્ષણ છે, લેશ્યા પ્રાણીનું લક્ષણ છે.
આ લેશ્યા એક તોતિંગ કારખાનું છે. ક્યાયના તરંગો અને કષાયની શુદ્ધિ થતાં આવતા ચૈતન્યના તરંગો—એ બધાને ભાવના સાંચામાં ઢાળવા, ભાવના રૂપમાં તેમનું નિર્માણ કરવું અને તેમને વિચાર સુધી, કર્મ સુધી, ક્રિયા સુધી પહોંચાડવા — આ તેનું કામ છે. આ સૌથી મોટું તંત્ર કે કારખાનું છે. સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર વચ્ચે જો કોઈ સંપર્ક-સૂત્ર હોય તો, એ છે લેશ્યા. આ લેશ્યા જ સંપર્ક-સૂત્ર છે. મન, વચન અને કાયાની પ્રવૃત્તિ દ્વારા જે કંઈ બહાર આવે છે તે કાચો માલ હોય છે. લેશ્યા તેને લઈ લે છે અને તેને કષાય સુધી પહોંચાડી દે છે. આ કાચો માલ કષાયના કારખાના સુધી પહોંચી જાય છે. આ લેશ્માનું કામ છે. પછી ભીતરનો એ કાચો માલ પાકો બનીને બહાર આવે છે, જે કર્મ જાય છે તે પછી વિપાક બનીને આવે છે. રસાયણ બનીને ભીતરી જે સાવ આવે છે તેને લેશ્યા પછી અધ્યવસાયથી માંડીને આપણા સમગ્ર સ્થૂળ તંત્ર સુધી, મસ્તક અને અન્ત:સ્રાવી ગ્રંથિઓ સુધી પહોંચાડી દે છે. આથી જે આપણા સ્થૂળ શરીરમાં લેશ્યાનાં પ્રતિનિધિ તંત્રોને શોધીએ, તેનાં વેચાણ કેન્દ્રોને શોધીએ તો જણાશે કે જેટલી અન્ત:સ્રાવી ગ્રંથિઓ છે તે તમામ લેશ્માની પ્રતિનિધિ સંસ્થાઓ છે, વેચાણ કેન્દ્રો છે. ત્યાં તેમનો સેલ્સ મૅનેજર બેઠો છે અને ઘણી સારી રીતે તેમનો માલ સપ્લાય કરી રહ્યો છે.
અન્ત:સ્રાવી ગ્રંથિઓના જે સાવ છે તે કર્મોના સ્રાવ લેશ્યા દ્વારા ભીતરથી આવે છે અને ત્યાં આવીને એ સમગ્ર વ્યક્તિત્વને પ્રભાવિત કરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org