SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ આભામંડળ કષાયનું કારખાનું પણ ઘણું વિશાળ છે. જીવનું ત્રીજું લક્ષણ છે કષાય. જે ક્રોધ કરે છે, માન અને માયા કરે છે, લોભ કરે છે તે જીવ છે. પથ્થરમાં ન ક્રોધ છે, ન માન, ન માયા, ને લોભ. તે અજીવ છે. જેમાં કષાય છે તે જીવ છે, જેમાં કષાય નથી તે અજીવ છે. કષાય આપણા સ્થૂળ વ્યક્તિત્વનું એક લક્ષણ છે. કષાયના પરમાણુઓને સંપ્રેક્ષિત કરવા, તેમના પ્રવાહને બહાર મોકલવા, જે સૂક્ષ્મ જગતમાં સૂક્ષ્મ છે તે પરમાણુઓને ધૂળ બનાવી અને તેને ભાવનું રૂપ આપી બહાર મોકલવા તે કપાય-કારખાનાનું કામ છે. ચોથું કારખાનું છે વેશ્યાનું. જેમાં વેશ્યા હોય છે તે જીવ હોય છે. જેમાં આભા” (ઑરા) હોય છે તે જીવ હોય છે. અહીં એક પ્રશ્ન થાય છે કે આભા (ઑરા) તો અચેતનમાં પણ હોય છે, અજીવમાં પણ હોય છે. જે પણ પદાર્થ છે તેમાંથી કિરણો નીકળે છે. પદાર્થનું લક્ષણ છે કિરણોને વિકીર્ણ કરવાં. દરેક પદાર્થમાંથી કિરણો નીકળે છે. આ કિરણો 'આભા' (ઑરા) બની જાય છે. એક ઈંટનાં કિરણો પણ આભા બની જાય છે. આ સંજોગોમાં આપણે કેવી રીતે માનીએ કે જેમાં વેશ્યા હોય છે, આભા હોય છે તે જીવ હોય છે? અને જેમાં લેશ્યા નથી હોતી, આભા નથી હોતી તે અજીવ હોય છે? આ લક્ષણ બંધબેસતું નથી. તેમાં દોષ છે. આભા તો જીવ અને અજીવ બંનેમાં હોય છે. તો સારું શું? આપણે તેને સમજીએ. આ સાચું છે કે પદાર્થમાં, જીવમાં પણ આભા હોય છે. પરંતુ તેની આ આભા નિશ્ચિત હોય છે, બદલાતી નથી. જીવની આભા અનિશ્ચિત હોય છે, તે બદલાય છે. જીવની આભા કયારેક સારી હોય છે, કયારેક ખરાબ. ક્યારેક તેના રંગ સુંદર હોય છે, ક્યારેક ખરાબ. આમ એટલા માટે થાય છે કે તેને બદલનાર લેશ્વાતંત્ર, ભાવતંત્ર ભીતર વિદ્યમાન છે. પદાર્થમાં માત્ર વિકિરણ થાય છે, પરંતુ એ વિકિરણને બદલનાર, તેને પરાવર્તત કરનાર કોઈ તવ ભીતર નથી. પ્રાણીની આભાનું નિયામક તત્ત્વ છે વેશ્યા. આ વેશ્યાના બે ભેદ છે: દ્રવ્ય-લેશ્યા અને ભાવ-લેશ્યા. પૌગલિક વેશ્યા અને આત્મિક લેશ્યા. તે અનવિરત બદલાતી રહે છે. પદાર્થમાં આ પરિવર્તન નથી થતું. પદાર્થના સંબંધમાં એક વૈજ્ઞાનિક નિશ્ચિત વાત કહી શકે છે, ચોક્કસ નિયમ બનાવી શકે છે. તેના સાર્વભૌમ નિયમની વ્યાખ્યા થઈ શકે છે, પરંતુ પ્રાણીની બાબતમાં કોઈ ચોક્કસ નિયમ કે વ્યાખ્યા બાંધી શકાતાં નથી. આ મંડપ બાંધ્યો છે. એની ઇચ્છા હોય તો છાંયડો આપે અને ઇચ્છા ન હોય તો ન આપે, આવું કદી નથી બનતું. મંડપ બાંધ્યો છે તો તે છાંયડો આપવાનો જ. પ્રાણી માટે આવું નથી બનતું. તેની ઇચ્છા થાય ત્યારે એ છાંયડે બેસે છે અને ઠંડી લાગે ત્યારે તડકે પણ બેસે છે. પ્રાણીની આ સ્વતંત્રતા છે. અ-પ્રાણીને આવી સ્વતંત્રતા નથી હોતી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy