________________
સ્થળ અને સૂક્ષ્મ જગત ૩૭ સૂક્ષ્મ છે. એક ઇંચની લંબાઈમાં ૨૫૦૦ કોષાણુઓને સીધી લાઇનમાં રાખી શકાય છે. દરેક સૂક્ષ્મ કોષાણુ એક મોટું કારખાનું છે. તેના અગિયાર વિભાગ છે. તેમનું પોતપોતાનું વીજળીગૃહ છે, જે વીજળી પેદા કરે છે. દરેક કોષની પાસે પોતાનું મસ્તિષ્ક છે જે બધું નિયંત્રણ કરે છે. પૂરી વ્યવસ્થા છે. તેનો એક વિભાગ એવો છે કે જે પ્રાપ્ય વસ્તુઓને રસાયણમાં બદલે છે. તેને વિટામિન બનાવે છે. દરેક ઘટક-સેલમાં દસ હજારથી માંડીને લાખ સુધીના આદેશ લખેલા હોય છે. તેને જો છાપવામાં આવે તો બ્રિટનના એન્સાઈકલોપીડિયા જેવા બે હજાર ભાગ (વોલ્યુમ) નીકળી શકે. આવા અબજો અબજો સેલો આપણા શરીરમાં છે. આની તુલના કોની સાથે કરીએ? કેવી રીતે કરીએ? આ સ્થૂળ શરીરના સૂક્ષ્મ જગતની વાત છે. સૂક્ષ્મ શરીરનું સૂક્ષ્મ જગત કેવું હશે તેની કલ્પના પણ નથી થઈ શકતી. જે સૂક્ષ્મ શરીરે આ સ્થૂળ શરીરનું નિર્માણ કર્યું છે, એ સ્થૂળ શરીરની આ સૂક્ષ્મ રચના છે. તો જે નિર્માતા છે સૂક્ષ્મ શરીર તેની સૂક્ષ્મતાનો વિચાર કરે તો કદાચ માણસનું મગજ જ કામ નહિ કર. ખૂબ જ સૂક્ષ્મ છે, સૂક્ષ્મ શરીરનું સૂક્ષ્મ જગત.
આ સૂક્ષ્મ શરીરે સ્થૂળ શરીર સાથે સંપર્ક સ્થાપિત કરવા અથવા સ્થળ શરીરને જીવનું વ્યક્તિત્વ પ્રદાન કરવા માટે દસ મોટાં કારખાનાં ખોલ્યાં છે. આ કારખાનાંઓનું કામ આ છે કે જે સૂક્ષ્મ આવે તેને સ્થૂળ બનાવવું. તેને સ્થૂળ શરીરમાં મોકલવું અને એ સ્થૂળ શરીરના વ્યક્તિત્વને જીવનું સ્વરૂપ આપવું, જેથી આપણે ઓળખી શકીએ કે આ જીવ છે.
ગતિનું કારખાનું એવું છે કે જે કોઈને મનુષ્ય, કોઈને પશુ-તિર્યંચ બનાવે છે. જીવોની જેટલી જાતિઓ અને ઉપજાતિઓ છે તે બધી જ આ ગતિના કારખાનાની બનાવટ – ઉત્પન્ન છે. એ અમુક અમુક પ્રકારના સેલોનું નિર્માણ કરે છે અને પોતપોતાના ઢંગના પ્રાણી-જીવ નિર્મિત થઈ જાય છે. દરેક પ્રાણીના સેલ ભિન્ન ભિન્ન પ્રકારના હોય છે અને તે ભિન્ન ભિન્ન પ્રકારનું કામ કરે છે. ગતિના આ કારખાનાએ ખૂબ જ બુદ્ધિનું કામ લેવું પડે છે. એક નાનો દાખલો લઈએ. મચ્છરોને મારવા માટે ડી.ડી.ટી.નો પ્રયોગ કરવામાં આવ્યો. શરૂનાં વર્ષોમાં તો મચ્છરો ઓછાં થવા લાગ્યાં, પરંતુ મચ્છરોના કોષાણુઓએ એવું પરિવર્તન કરી લીધું કે હવે ડી.ડી.ટી.ની તેમના ઉપર કોઈ અસર થતી નથી. ઊલટાં તે વધી રહ્યાં છે.
ઇન્દ્રિયોનું કારખાનું પણ વિરાટ છે. તે તમામ ઈન્દ્રિયોના કામનું સંચાલન કરે છે. જીવનું એક લક્ષણ છે ગતિ. જે માણસ છે, પશુ છે તેને આપણે જીવ માનીએ છીએ. જીવનું બીજું લક્ષણ છે ઇન્દ્રિય. જેમને ઈન્દ્રિયો હોય છે તે જીવ હોય છે. અજીવમાં ઇન્દ્રિયો નથી હોતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org