SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ આભામંડળ સહયોગ થાય છે ત્યારે અધ્યાત્મની યાત્રા શરૂ થાય છે અને આપણે જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી જઈએ છીએ. આપણે બે વ્યક્તિત્વમાં જીવીએ છીએ. એક છે સ્કૂળ વ્યક્તિત્વ અને બીજે છે સૂક્ષ્મ વ્યક્તિત્વ. ભૌતિક શરીરથી, પૌલિક શરીરથી આપણો જે સંબંધ છે તે સમગ્ર સ્થળ વ્યક્તિત્વ છે. આપણે જીવ ગણાઈએ છીએ. જીવના રૂપમાં આપણે ઓળખાઈએ છીએ એટલા માટે કે આપણા શરીરમાં કેટલીક એવી ક્રિયાઓ, એવાં કેટલાંક લક્ષણો છે જે માત્ર પ્રાણીમાં જ મળે છે, પદાર્થમાં નહિ. પ્રાણી અને પદાર્થ વચ્ચે એક ભેદરેખા દોરવામાં આવી છે. પદાર્થ અચેતન-જડ હોય છે. પ્રાણી સચેતન – સજીવ. સચેતન અને અચેતન વચ્ચે ભેદરેખા દોરવામાં આવી, કેટલાંક લક્ષણ નક્કી કરવામાં આવ્યાં. જેમાં અમુક લક્ષણ મળે તે પ્રાણી અને જેમાં તે ન મળે તે પ્રાણી નથી હોતું. એ હોય છે અચેતન-પદાર્થ હોય છે, પૌદ્ગલિક હોય છે. આપણા આ સ્થૂળ શરીરની જે ભેદરેખાઓ છે તે આપણને જીવ પ્રમાણિત કરે છે. તેના દ્વારા આપણે જીવ સાબિત થઈએ છીએ આપણું સૂક્ષ્મ વ્યક્તિત્વ, આપણી દૃષ્ટિમાં, જીવ નથી, આત્મા નથી આપણું ધૂળ વ્યક્તિત્વ આપણી દૃષ્ટિમાં જીવ છે, આત્મા કોઈ માને કે ન માને. સૂક્ષ્મ વ્યક્તિત્વથી સ્થૂળ વ્યક્તિત્વ સુધી પહોંચવા માટે દસ સંસ્થાનનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગતિ, ઈન્દ્રિય, કષાય, વેશ્યા, યોગ, ઉપયોગ, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વેદ-આ દશ મોટાં મોટાં સંસ્થાન છે, કારખાનાં છે. આજનાં વિરાટ કારખાનાં તેની તુલનામાં વામણાં પડી જાય. વામણાં પણ એટલાં કે એક બાજુ હિમાલય, બીજી બાજુ રાઈનો દાણો. આજની દુનિયાનાં તમામ ઔદ્યોગિક કારખાનાંઓના આંકડા એકઠા કરીએ અને એક સ્થૂળ શરીરના કારખાનાના આંકડા ભેગા કરીએ તો બંનેની તુલના નહિ થઈ શકે. આપણા શરીરનું કારખાનું સૌથી મોટું પ્રમાણિત થશે. આજના વિજ્ઞાને સૂક્ષ્મતાના જગતમાં આપણી દૃષ્ટિને એટલી સ્પષ્ટ બનાવી છે કે આ પ્રાચીન સૂક્ષ્મ વાતોને પુષ્ટ કરવા માટે તે પ્રમાણિત કરવા માટે આપણામાં હિંમત છે, એ માટે જરા પણ ખચકાટ નથી. વિજ્ઞાનની આ સૂક્ષ્મ જગતની યાત્રા અગાઉ આપણે પોતે જ પ્રાચીન તથ્યોને સચોટ કહેતાં ખચકાતા હતા અને ક્યારેક મનોમન તેની યથાર્થતા પ્રત્યે શંકા પણ વ્યક્ત કરતા હતા. પરંતુ આપણે વિજ્ઞાનના ખૂબ જ આભારી છીએ. આજના વિજ્ઞાનીઓએ એટલાં સૂમ તથ્યોને પ્રતિપાદિત કર્યા છે કે અતીતમાં પ્રતિપાદિત સૂક્ષ્મ તથ્યોને પ્રકટ કરવામાં આપણને હવે જરા પણ સંકોચ થતો નથી. એક નાનું સરખું ઉદાહરણ આપું. આપણું શરીર ઘટકોનું – સેલોનું બનેલું છે. કોષાણુઓથી નિર્મિત છે આપણું શરીર. શરીરના દરેક કોષ એક અવયવનું નિર્માણ કરે છે. આ કોષ ખૂબ જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy