SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થળ અને સૂકમ જગત ૩૫ આત્મશુદ્ધિની પ્રક્રિયાનાં બે સાધન છે: જ્ઞાન અને ધ્યાન-સ્વાધ્યાય અને ધ્યાન. આ બંને અહમ્નાં તમામ મૂળિયાંને ઉખાડી નાખે છે. આત્મશુદ્ધિ આત્મનિયંત્રણની પ્રક્રિયાની સાથોસાથ ચાલે છે. જ્યાં માત્ર આત્મનિયંત્રણ જ થાય છે, ત્યાં આત્મશુદ્ધિ નથી થતી. માત્ર ઉપવાસ શાય છે, કેવળ કાયક્લેશ થાય છે, માત્ર પ્રતિસલીનતા થાય છે. જો તેની સાથે જ્ઞાન અને ધ્યાન નથી થતાં તો મનોવિજ્ઞાનની વાત બરાબર લાગે છે કે માત્ર આત્મનિયંત્રણથી માણસની વિકૃતિઓ વકરે છે. પરંતુ અધ્યાત્મના સાક્ષાત્ દ્રષ્ટાઓએ કોઈ એક જ સત્યનું પ્રતિપાદન નથી કર્યું અને કોઈ એકાંગી સાધનાનો ઉપદેશ નથી આપ્યો. સમગ– સર્વાગી માર્ગ પ્રસ્તુત કરતાં તેઓએ કહ્યું કે આધ્યાત્મિક જીવનની ઉપલબ્ધિ માટે, ઉન્નત જીવનની પ્રાપ્તિ માટે, સારા જીવનના નિર્માણ માટે આત્મનિયંત્રણ અને આત્મશુદ્ધિ બંને જરૂરી છે. બંને એકસાથે ચાલવાં જોઈએ. બંનેનો સહ્યોગ સધાવો જોઈએ. મહાવીરને પૂછવામાં આવ્યું: “શું જ્ઞાન મોક્ષનો માર્ગ છે?' “ના. માત્ર જ્ઞાન મોક્ષનું કારણ નથી.” શું દર્શન મોક્ષનું કારણ છે?” “ના. માત્ર દર્શન મોક્ષનું કારણ નથી.” શું ચારિત્ર મોક્ષનો માર્ગ છે?” ‘ના.” સાંભળીને તમને આશ્ચર્ય થશે કે મહાવીર કહે છે કે જ્ઞાન મોક્ષનો માર્ગ નથી. દર્શન મોક્ષનો માર્ગ નથી. ચારિત્ર મોક્ષનો માર્ગ નથી. તો પછી પ્રશ્ન થાય છે કે મોક્ષનો માર્ગ કયો છે? ફરી મહાવીરને પૂછયું : “ભો! તો પછી મોક્ષનો માર્ગ કયો છે? મહાવીરે કહ્યું: ‘એકલું જ્ઞાન, એકલું દર્શન, એકલું ચારિત્ર મોક્ષ તરફ નથી લઈ જતું. જ્યારે એ ત્રણેયનો યોગ થાય છે ત્યારે મોક્ષ મળે છે. જ્ઞાન, દર્શન અને ચારિત્ર– ત્રણેયનો સમન્વિત પ્રયોગ જ મોક્ષનો માર્ગ છે. ત્રણમાંથી કોઈ એક એકલું મોક્ષ તરફ નહિ લઈ જાય.' આપણે કોઈ વાતને પૂરી વાત ન માની લઈએ. આપણે આ દૃષ્ટિએ વિચારીએ કે કોઈ માણસ કોઈ સિદ્ધાંતનું પ્રતિપાદન કરે છે, કોઈ ચિંતન રજ કરે છે તો એ માત્ર એક લિંગ છે, એક ચિનગારી છે. આપણે એક ચિનગારીને પૂરી આગ ન માની લઈએ, તેને માત્ર એક ચિનગારી માનીએ. આગ એક છે, ચિનગારી એક છે. એક કથનને, એક પ્રતિપાદનને કે ચિંતનને પરિપૂર્ણ ન માની લઈએ. આપણે માત્ર આત્મનિયંત્રણને પણ સાધક ન માનીએ અને કેવળ આત્મશુદ્ધિને પણ સાધક ન માનીએ. આત્મનિયંત્રણ અને આત્મશુદ્ધિ બંનેનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy