SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ આભામંડળ નહિ મળે. તો કષાયના માર્ગોને નહિ બદલી શકાય. કષાય મંદ– મોળા ત્યારે બને છે કે જયારે આપણે કષાયને ઉત્તેજિત કરનાર પદાર્થોથી બચીએ. પાસે કરોડ રૂપિયા રાખીને કોઈ કહે કે મને સંતોષ છે, કોઈ જ લોભ નથી, કોઈ જ મમત્વ નથી. માનું છું તેની પાછળ સોએ સો ટકા વંચના છે, દંભ છે. કરોડોમાં એકાદ માણસ અપવાદરૂપ નીકળી શકે. નહિ તો ધોખો જ ધોખો છે. બાહ્ય સંબંધોથી આપણે મુક્ત ન થઈએ અને કષાયને મંદ કરવાની વાત વિચારીએ તો ઘણો મોટો ધોખો – ખતરો છે. જે માણસ કષાયને મંદ કરવા માગે છે. તેણે કષાયની પ્રતિસંલીનતા કરવી જ પડશે. મન, વચન અને કાયા-એ ત્રણ યોગ છે. ત્રણેય ક્રિયાતંત્રનાં અંગ છે. તેમનું કામ છે, કાર્ય કરવું. જે કામ કરે તે ચંચળ હશે. તે ક્યારેય સ્થિર નહિ હોય. તમારે કપડાં ધોવાં છે અને તમે ઈચ્છો કે હાથ હાલે નહિ, સ્થિર રહે તો તમે કપડાં નહિ ધોઈ શકો. રસોઈ રાંધવી છે અને તમે કાયોત્સર્ગમાં બેસી જાઓ, સ્થિર થઈ જાઓ તો રસોઈ કયારેય નહિ બને. કામ કરવું છે તો ચંચળતા કરવી જ પડશે. મનનું કામ ચંચળતા પેદા કરવાનું છે. વચન અને કાયાનું કામ પણ ચંચળતા પેદા કરવાનું છે. ચંચળતા તેમની પ્રકૃતિ છે, સ્વભાવ છે. પ્રતિસંલીનતા કરવી છે તો તેમની દિશા બદલવી પડશે. સાધના દ્વારા પ્રતિસંલીનતા કરી મનને સ્થિર કરી શકાય છે. વાણીને સ્થિર કરી શકાય છે. કાયાને સ્થિર કરી શકાય છે. એક બાજુ છે પ્રકૃતિનું પ્રદાન અને બીજી બાજુ છે સાધનાનો પ્રયત્ન. સાધનાના પ્રયત્નો દ્વારા આપણે પ્રાકૃતિક પ્રદાનોને પલટી શકીએ છીએ. આ પ્રાકૃતિક પ્રદાનોને બદલવાનું બીજું નામ છે સાધના અને એ જ છે કષાયને મંદ કરવાની પ્રક્રિયા. ભગવાન મહાવીરે આત્મનિયંત્રણના, લેશ્યા-શુદ્ધિના અધ્યવસાય-શુદ્ધિનાં ત્રણ બાહ્ય સૂત્રો કે જે બહારથી પ્રભાવિત કરે છે તે બતાવ્યાં. આ ત્રણ સુત્ર છે: ઉપવાસ, કાયોત્સર્ગ અને પ્રતિસંલીનતા. આ ત્રણ બાહ્ય સૂત્રો છે કે જે આપણા કષાયને મંદ કરે છે. વેશ્યાને શુદ્ધ કરે છે. અધ્યવસાયને પવિત્ર બનાવે છે. આવું જ્યારે બને છે ત્યારે કપાય આપોઆપ મંદ પડે છે. કષાયને મંદ કરવા માટે પણ આપણે એક ક્રમથી ચાલવું પડશે. સીધા જ આપણે કષાયને મંદ કરવા જઈશું તો નિષ્ફળ જઈશું. કારણ કષાયોનું એટલું તેજ ને તીવ્ર આક્રમણ છે કે આપણે તે સહન નહિ કરી શકીએ. આથી આપણે સર્વપ્રથમ એ વિચારવું પડશે કે કષાયોને પોષણ ક્યાંથી મળે છે? જે રસ્તેથી તેને પોષણ મળતું હોય એ રસ્તા જ કાપી નાખો. પોષણ મળવું બંધ થઈ જાય છે ત્યારે કષાય મંદ થઈ જાય છે. મન, વચન અને કાયા– આ ત્રણ માધ્યમ છે. આ ત્રણેય દ્વારા મેલ અંદર પહોંચે છે ત્યારે એ ત્રણેય દ્વારા કષાય પુષ્ટ બને છે. જ્યારે આપણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy