________________
સારા-ખરાબનું નિયંત્રણ-ક્ષા ૩૧ મન, વચન અને કાયા પ્રત્યે સજાગ – જાગ્રત બનીએ છીએ, અનશન શરૂ કરીએ છીએ, કાયકલેશ અને પ્રતિસલીનતા શરૂ કરીએ છીએ ત્યારે કષાયને મળતું પોષણ બંધ થઈ જાય છે. જ્યારે પોષણ નથી મળતું, બહારનો રસ નથી મળતો ત્યારે ધીમે ધીમે મૂળ નષ્ટ થઈ જાય છે. તેનું બળ ક્ષીણ થઈ જાય છે. આપણા કષાય મંદ થતા જશે તેમ તેમ ચૈતન્યનાં કિરણો આપોઆપ બહાર પ્રકટી ઊઠશે.
બંને સ્થિતિ આપણી સામે છે: એક સ્થિતિ છે વિશુદ્ધ અધ્યવસાય અને વિશુદ્ધ વેશ્યાની. બીજી સ્થિતિ છે અશુદ્ધ અધ્યવસાય અને અશુદ્ધ લેશ્યાની. જેમ જેમ સાધનાનું જોર વધતું જશે તેમ તેમ કષાય મંદ પડતા જશે. જેમ જેમ કપાય મંદ થતા જશે તેમ તેમ અધ્યવસાય, વેશ્યા, ભાવ, કર્મ અને વિચાર આપોઆપ શુદ્ધ બનતાં જશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org