________________
૨૮ આભામંડળ થઈ જાય છે અને સોમી વાર ઊતરે છે ત્યારે સાવધાનીની કોઈ જરૂર નથી રહેતી. પગ આપોઆ૫ પગથિયાં ઊતરી જાય છે. ચાલવાની સાથે મનને જોડવાની ત્યારે કોઈ જરૂર નથી રહેતી. ટાઈપ કરનાર શરૂઆતમાં અક્ષરો જોઈ જોઈને ટાઈપ કરે છે. અભ્યાસ થઈ જતાં તેમની આંગળીઓ જોઈતા અક્ષરો ઉપર પડે છે અને જેવું જોઈએ તેવું ટાઇપ કરી લે છે. પછી “કી બોર્ડને જોવાની કોઈ જરૂર નથી રહેતી કારણ આંગળીઓ ટેવાઈ ગઈ છે. આપણે સ્નાયુઓને જેવી ટેવ પાડીએ છીએ તે પ્રમાણે તે આપોઆપ કામ કરવા લાગી જાય છે. એ કામને પૂરું કરવામાં મનના સાથની જરૂર નથી રહેતી.
આ સંદર્ભમાં તેમણે આ પણ કહ્યું કે જ્યારે ટેવ પાડો ત્યારે કોઈ અપવાદ ન રાખો, કોઈ જ છૂટછાટ ન મૂકો. પૂરી ટેવ પડવા દો. આજે ધ્યાન કર્યું. સ્નાયુઓને ધ્યાનની ટેવ પડી. કાલે ધ્યાને છોડી દીધું. પરમ દિવસે છોડી દીધું. ચોથે દિવસે ફરી ધ્યાનમાં બેઠા. આમ છૂટછાટ મૂકવાથી એ ટેવ નહિ પડે. છૂટ મૂકો જ નહિ. રોજેરોજ એ કાર્ય કરતા રહો.
ભગવાન મહાવીરે કહ્યું કે, પ્રતિક્રમણ કરો તો યથાયોગ્ય સમયે કરો. એમ નહિ કે આજે કર્યું, કાલે ન કર્યું. વળી કર્યું, ફરી પાછું ચારેક દિવસ ન કર્યું. અને પાછું પ્રતિક્રમણ સાતમે દિવસે કર્યું. આમ કરવાથી પ્રતિક્રમણની ટેવ નહિ પડે. આજે ક્ષમા કરો, સહિષ્ણુતા બતાવો અને કાલે ફરી લડો અને ક્ષમા માગો તો ક્ષમાની ટેવ નહિ પડે. ટેવ પાડવી હોય તો એ ટેવ ન પડે ત્યાં સુધી તેમાં કોઈ જ અપવાદ ન રાખો. એ સ્વભાવ ન બની જાય ત્યાં સુધી તેમાં કોઈ જ છૂટછાટ ન મૂકો, આ છે આપણા કાયકલેશનું સૂત્ર. કાયકલેશનું સૂત્ર છે કે આસન, પ્રાણાયામ, કાયોત્સર્ગ આદિ ક્રિયાઓ દ્વારા શરીરને એવું હસ્તગત કરી લો કે તમે જે આદેશ તેને કરો તે જ પ્રમાણે તે કાર્ય કરે. આત્મનિયંત્રણનું આ બીજું સૂત્ર છે– શરીર-સાધના. શરીરને સાધવું.
૩. આત્મનિયંત્રણનું ત્રીજું સૂત્ર છે–પ્રતિસંવીનતા. તેનો અર્થ છે – જે કંઈ થઈ રહ્યું છે તેને થવા ન દો પણ તેને ઉલટાવી નાખો. બે ક્રમ ચાલે છે. એક છે. પ્રાકૃતિક ક્રિમ અને બીજો છે સાધનાનો ક્રમ. એક પ્રાકૃતિક ક્રમ છે. આપણને કેટલાક વિશેષ અવયવ ઉપલબ્ધ છે. એક છે શક્તિનું કેન્દ્ર. તમામ કામની ચેષ્ટાઓ આ કેન્દ્રથી સંચાલિત થાય છે. તમામ કામની વૃત્તિઓ અહીં ઊભરાય છે અને તેના સહારે માણસ પોતાની કામ-વાસના પૂરી કરે છે. કામ-વાસનાની પૂર્તિ માટે આ પ્રકૃતિદત્ત સંસ્થાન છે. પ્રતિસંલીનતા દ્વારા આપણે તેને બદલી શકીએ છીએ. - આચારાંગમાં એક મહત્ત્વપૂર્ણ તથ્ય પ્રતિપાદિત છે કે જે આસવ છે તે જ પરિઢવ છેઅને જે પરિસવ છે તે જ આવે છે. જે કર્મબંધનું કારણ છે તે જ કારણે કર્મમુક્તિનું પણ કારણ છે. અને જે કર્મમુક્તિનું કારણ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org