________________
સારા-ખરાબનું નિયંત્રણ-ક્ષ ૨૫
લેશ્યાની શુદ્ધિ અધ્યવસાયથી થાય છે અને અધ્યવસાયની શુદ્ધિ મંદ કષાયોથી થાય છે. લેશ્યા આપણો ભાવ છે. અધ્યવસાય આપણા શુદ્ધ ન હોય તો એ કચારેય શુદ્ધ નથી હોતા. કાયના મહાસાગરનું વર્તુળ ચૈતન્યનાં સ્પંદનોને જવા માટે રસ્તો ન આપે તો અધ્યવસાય કયારેય શુદ્ધ નથી હોતા. કષાય મંદ થાય છે એનો અર્થ એ કે કાય-મહાસાગર ચૈતન્યનાં કિરણોને બહાર જવાનો રસ્તો કરી આપે છે. ચૈતન્યનાં કિરણો એ રસ્તેથી બહાર નીકળે છે કે જ્યાં પાયના તીવ્ર અનુભવોના સ્પર્શ નથી હોતો. એ રસ્તેથી ચૈતન્યનાં શુદ્ધ કિરણો બહાર આવે છે અને એ શુદ્ધ ધારાઓ અધ્યવસાયનું નિર્માણ કરે છે. શુદ્ધ અધ્યવસાય શુદ્ધ ભાવોનું નિર્માણ કરે છે, અને શુદ્ધ ભાવ વિચારોને શુદ્ધ બનાવે છે મન, વચન અને કાયાને શુદ્ધ બનાવે છે.
શુદ્ધ અને અશુદ્ધ થવાનાં બે કારણ થયાં. શુદ્ધ થવાનું કારણ છે કષાયની મંદતા. અશુદ્ધ થવાનું કારણ છે, કષાયની તીવ્રતા.
કષાયની મંદતા કેવી રીતે થાય? એકમાત્ર ઉપાય છે એનો, સાધના. જે મણસ સાધના કરે છે તે કષાયને મંદ કરવાનો ઉપક્રમ કરે છે. સાધના જેમ જેમ આગળ વધે છે તેમ તેમ કાયનો મજબૂત મોરચો નબળો પડવા લાગે છે, નિષ્ક્રિય થવા લાગે છે. સાધનાનો મૂળ હેતુ છે કષાયને મંદ કરવા, કષાયની શક્તિને ક્ષીણ કરવી, ચૈતન્યની પવિત્ર ધારામાં મળી જતા કષાયના અપવિત્ર જળને બહાર ફેંકી દેવું જેથી તે શુદ્ધ અને પવિત્ર બની જાય. પવિત્ર શબ્દ પણ મટી જાય. અપવિત્ર શબ્દ પણ મટી જાય. ચૈતન્ય એવું ને એવું જ રહે. કારણ જ્યારે કંઈક અપવિત્ર હોય છે ત્યારે તેને પવિત્ર કરવાની વાત આવે છે. વાસ્તવમાં ચૈતન્ય ને અપવિત્ર છે, ન પવિત્ર. એ તો એક પ્રકાશ છે, આલોક છે, જ્યોતિ છે. જેવી છે તેવી છે. તેને પવિત્ર કે અપવિત્રનાં કોઈ વિશેષણ લગાડવાની જરૂર નથી. વિશેષણ એટલા માટે લગાડવું પડે છે કે કષાય દ્વારા જ્યારે ચૈતન્યની ધારા અપવિત્ર બની જાય છે, મલિન થઈ જાય છે ત્યારે તેની સાપેક્ષતામાં ચૈતન્યને પવિત્ર કહેવું પડે છે. આપણે સાધનાથી — સાધના દ્વારા એ સ્થિતિનું નિર્માણ કરવા માગીએ છીએ કે ચૈતન્ય કોરું ચૈતન્ય જ રહે. પવિત્ર અને અપવિત્ર તેનાં વિશેષણો ખરી પડે.
જેનાથી કષાયને મંદ કરી શકાય છે તે સાધના શું છે? આ પ્રશ્ન અંગે આપણે વિચારીશું તો સ્પષ્ટ થશે કે અધ્યાત્મનું સમગ્ર તંત્ર, અધ્યાત્મનો તમામ ઉપદેશ અને ધર્મની તમામ ગાથાઓ કષાયને મંદ કરવા માટે છે. તે સૌનું એકમાત્ર પ્રયોજન પણ આ છે. અપરિગ્રહ, અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, ક્ષમા, સંતોષ, દાન, શીલ આ બધાંનો ઉપદેશ કષાયને મંદ કરવા માટે છે. ઉપદેશ અને ઉપદેશનું આગળનું ડગલું છે, અભ્યાસ. સૌએ જાણી લીધું કે કષાયને મંદ કરવા માટે આત્મનિયંત્રણ જરૂરી છે, અભ્યાસ અનિવાર્ય છે, તો ફ્રી
Jain Education International
Gros
For Private & Personal Use Only
www.jainelibrary.org