SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રણ • • • દર્પણ છે આપણું શરીર. આ દર્પણમાં મનના ભાવો પ્રતિબિંબિત થતા રહે છે. ભાવોને જોઈને આપણે અદૃશ્યને પણ જોઈ લઈએ છીએ. જે દૂર છે તેને પણ ઓળખી લઈએ છીએ. દર્પણનાં આ પ્રતિબિંબો દ્વારા જ્યાં આપણી પહોંચ નથી હોતી ત્યાં સુધી પહોંચી જઈએ છીએ. આંખોમાં ઘણાનો ભાવ તરી રહ્યો છે એવું જોઈએ છીએ ત્યારે આંખને જોઈએ છીએ અને ભાવ સુધી પહોંચી જઈએ છીએ. જ્યારે જોઈએ છીએ કે આંખમાંથી કશુંક નીતરી રહ્યું છે ત્યારે આપણે પ્રિયતાના ભાવ સુધી પહોંચી જઈએ છીએ. આંખોમાં જોઈએ છીએ, આકૃતિમાં જોઈએ છીએ. આ સમગ્ર આકૃતિ એટલું સાફ – સ્વચ્છ દર્પણ છે કે તેમાં ભીતરના તમામ ભાવો પ્રતિબિંબિત થઈ જાય છે. આ આકૃતિ ન હોત તો કદાચ આપણી પાસે ભાવોને જાણવાનું કોઈ જ માધ્યમ ન હોત. આકૃતિ જોઈને જાણી જવાય છે કે માણસ ગુસ્સામાં છે. આકૃતિને જોઈને જાણી જવાય છે કે માણસ ક્ષમાશીલ છે, સહિષણ છે. ક્રોધ અને ક્ષમા બંને આપણી સમક્ષ પ્રગટ નથી થતાં. કારણ સહિષ્ણુતા અને ક્રોધ બંને શરીરના ધર્મ નથી. એ જ્યાં જન્મે છે અને પ્રગટ થાય છે તેમનું સ્થાન કોઈ બીજું છે. આપણા તમામ ભાવ સૂક્ષ્મ જગતમાં જન્મે છે અને આ સ્થૂળ શરીરમાં પ્રતિબિંબિત થાય છે. એક છે આપણાં પ્રતિબિંબોનું જગત અથવા પ્રતિબિબોને પકડવાનું જગત અને બીજું છે આપણા ભાવોને જન્મ લેવાનું જગત. આપણી યાત્રા સ્થૂળથી સૂક્ષ્મ તરફની થાય છે. સ્થૂળને છોડીએ છીએ ત્યારે સૂક્ષ્મ તરફની યાત્રા શરૂ કરીએ છીએ. આપણે સ્થૂળ શરીરને છોડીને ભાવ-શરીર સુધી પહોંચીએ છીએ. વેશ્યા સુધી પહોંચી જઈએ છીએ. લેશ્યાથી પણ આગળ યાત્રા શરૂ કરીએ છીએ તો અધ્યવસાય સુધી પહોંચી જઈએ છીએ. અધ્યવસાયથી આગળ યાત્રા શરૂ કરીએ છીએ તો કષાય સુધી પહોંચીએ છીએ અને કષાયથી આગળ યાત્રા શરૂ કરીએ છીએ તો પરમતત્ત્વ- આત્મા સુધી પહોંચી જઈએ છીએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005218
Book TitleAbhamandal
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya
PublisherAnekant Bharati Prakashan
Publication Year1987
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy